SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા સ્કર88VRW9ર88888888 આના કરતાં તેટલા વખત માટે પરમાત્માનું સ્મરણ કર્યું હોત, કે ઉત્તમ વિચારો કર્યા હોત, કે કાંઈ પણ સારું કામ કર્યું હોત તો ? મન મેલું થવાને બદલે સુધરત. ઉજ્જ્વલનિર્મળ થાત, સારું પુણ્ય બંધાત કે જે વસ્તુની જરૂરિયાત કે ઇચ્છા હતી તે મેળવી આપવામાં મદદગાર થાત. માટે હે મનુષ્યો ! આવા હવાઈ કિલ્લા બાંધવાનું બંધ કરી જેની જરૂરિયાત હોય તેને માટે મહેનત કરો. KERERERERERGREN 3/3883/8/28/33/3888888888888888883883838/384888888 મનુષ્યો ! તમારા નિરંતરના વ્યવહાર સંબંધમાં તપાસ તો કરો કે મહેનત વિના કાંઈ મળે છે ખરું કે ? અરે મોંઢામાં મૂક્યા પછી પણ ચાવવાની મહેનત કર્યા પછી જ પેટ ભરાય છે, તો આ તમારા મનોરથો કાંઈ એકલી લૂખી ઇચ્છાથી જ પૂરણ થવાના છે ? નહિ જ. કેટલાએક વિચારવાન મનુષ્યોને ઉપરની હકીકત ખરી લાગવાથી તે મનઇચ્છિત વસ્તુ મેળવવા માટે નાના પ્રકારનાં પુણ્ય, દાન, તપ, જપ, વ્રત, ઇત્યાદિ શુભ કાર્યો કરે છે, અજ્ઞાન કષ્ટો સહન કરે છે, માખીની પાંખ ન દુ:ખાય ત્યાં સુધી જીવોનું રક્ષણ કરે છે, ઓઘસંજ્ઞાએ ચારિત્ર પણ ઊંચું પાળે છે, આટલું કર્યા પછી તેમની આ માયિક વિષયોની ઇચ્છા તેમને ફસાવે છે. મહેનત કરીને તેનો બદલો લેવાને તે તૈયાર થાય છે. તેનો બદલો સ્વાભાવિક વખતે પોતાની મેળે મળી આવે તેટલા વખત સુધી પણ તેઓ ધીરજ ધરી શકતા નથી. તેમના સારા કર્મો કદાચ તેમની ઇચ્છા વિરુદ્ધ ફળ આપી દેશે, કે ફળ આપવાનું ભૂલી જશે, તેવી તેમને શંકા થતી હોય તેમ તેઓ પોતાનાં કરેલા શુભ કર્મનો બદલો આગળથી માંગી લે છે. તેઓ નિયાણું કરે છે, નિયાણાનો અર્થ કરેલ મહેનતનો બદલો ફળ મળવાના વખત અગાઉથી Jain Education International 88888888888 8888888a8a8a8jaha8a8a8a8a83838/888888 ૧૫૩ For Private & Personal Use Only 888888888888888888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy