SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા મÆGHKGKWKWKMWGરસ્ટ, સંયોગો આવી મળે છે તે પૂરાં થઈ જતાં, જેમાં નઠારા કર્તવ્યના બદલાના બીજો રહેલાં છે, તેમાંથી પાપોનાં ફળો બહાર આવે છે, તેને લઈને જીવો દુ:ખનો અનુભવ કરે છે. સુખનાં સાધનો નાશ પામે છે યા અન્ય સ્થળે તે જ રૂપાંતરે ચાલ્યાં જાય છે. આથી જીવો દુ:ખી થાય છે. 888 88888888 888888888888888888888888888888888888888888 હવે જો મનુષ્ય વિચારવાન જ હોય તો, ગઈ વસ્તુનો શોચ ન કરતાં, સમજીને મનને શાંતિથી વાળે કે જે કારણથી તેઓ આવ્યા હતા તે કારણ મારી પાસે પૂરું થઈ રહ્યું છે. ફરી તે જ કે, તેવી વસ્તુની જરૂરિયાત જ હોય તો પાછાં તેવાં સારા કર્તવ્યો કરી પુણ્ય ઉપાર્જન કરું કે તે વસ્તુઓ પાછી મને આવી મળે. ગઈ વસ્તુનો શોચ કરવાથી તે પાછી આવવાની નથી, તો કેવળ કલ્પાંત કરી વખત નકામો કાઢી આર્તધ્યાન કરી, નવીન કર્મબંધ કરવો તેના કરતાં તે જ વખતનો યોગ્ય રસ્તે સારો ઉપયોગ કરી લઉં કે ફરીને પાછો આવી સ્થિતિમાં આવી ન પડું. ખરેખર, આ જ્ઞાન કે વિચાર માણસોમાં ઘણો ઓછો હોવાથી, આ સીધે રસ્તે માણસો આવી શકતા નથી; તેથી જ તેમને આ સંસાર દુઃખમય ભાસે છે. તેમ ભાસવા છતાં પણ પાછા તે વાતને ભૂલી જાય છે. કાંઈક અનુકૂળ સંયોગો મળી આવતાં થયેલ વિયોગનાં દુઃખ વિસારે પડે છે અને આ અનુકૂળ સંયોગમાં આનંદ માને છે, પણ વખત જતાં આ અનુકૂળતા પણ વીખરાઈ જાય છે ત્યારે ફરી પણ પૂર્વની માફક શોક-આક્રંદ કરતા રહે છે. કોઈક વીર પુરુષો જ આ વિષમ સંયોગવિયોગના ચક્રમાંથી બચી જાય છે. ફરી તે ચક્રમાં આવવું ન પડે તે માટે આત્મસ્વરૂપમાં પ્રવેશ કરે છે અને વિજય મેળવે છે. $,@88888888888888/s/assssssE8833ર9s8(૧૪૫ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy