SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા 3883સખસખસખસખસખસમસ્યાન888 ભાવાર્થ : આ ગ્રંથકાર પોતાનો આશય પ્રગટ કરે છે કે ઉપર બતાવેલ હેતુઓ વડે સિદ્ધ થાય છે કે આત્મ સ્વરૂપ પ્રગટ કરવાને ધ્યાન એ જ મુખ્ય ઉપાય છે માટે મુનિઓએ તેનો અવશ્ય આશ્રય કરવો જ. આ વાત ધ્યાનમાં રાખીને અથવા આ પ્રમાણે ચોક્કસ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે ધ્યાન વિના જ્ઞાન ન જ થાય અને જ્ઞાન વિના કર્મક્ષય ન જ થાય અને કર્મક્ષય વિના મોક્ષ ન જ થાય; માટે આ ધ્યાનસંબંધી હકીકત જણાવવા માટે હું ધ્યાનદીપિકા કહું છું અર્થાત્ જેમ મકાન ચણતાં પહેલાં તેના પ્રમાણમાં તે મકાનના પાયાને મજબૂત કરવાનો વિચાર કરવો જોઈએ અને જો પાયો તેના પ્રમાણમાં ઊંડો ન હોય તો તે મકાન ચણતાં અગર તો ચણાઈ રહ્યા બાદ વિશેષ વખત ટકાવી રાખી તેનો લાભ લેતાં ઘણાં વિઘ્નો નડે છે, બલકે તેનો લાભ લઈ જ શકાતો નથી, તે જ મુજબ ધ્યાન તે મોક્ષનો મૂળ પાયો છે, તો જો મૂળ પાયો બરાબર સમજી, પુખ્ત વિચાર કરી હાથ ધરવામાં ન આવે તો મોક્ષરૂપી મકાનના છેલ્લા માળ સુધી પહોંચવું બહુ જ મુશ્કેલ થઈ પડે. માટે તેની હકીકત જણાવવા માટે ધ્યાનદીપિકા સમજવાની ખાસ જરૂર છે. આ પાયાને ઠેકાણે બાર ભાવનાના મજબૂત સંસ્કાર દઢ કર્યા પછી હવે તેના ઉપર ચણતર ચણાવવાની માફક ધ્યાનના વિચારો સમજવાની ખાસ જરૂર છે. આ કારણથી આ સ્થળે હવે હું ધ્યાન સંબંધી વિચાર કરું છું. 38308388888 આત્મસાધન વિના બધું નકામું છે. अंतेऽस्ति मृत्युर्यदि यस्य तस्य चिंतामणिर्हस्तमितस्ततः किम् । सुवर्णसिद्धिस्त्वभवत्ततः किं जातं प्रभुत्वं क्षणिकं ततः किम् ॥ ४९ ॥ ajaBa88888888888/3888888888888888a88888Á૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy