SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB ello1 EINSI SRUBBAUBERUBUBUBUBURBRORUBURUORDBRUBUBURUBURUDUBBBBBBBBBBBBBUBURBURUBURURUBU થશે. આટલું થયા પછી અજ્ઞાનાવરણ તોડવાનું કામ શરૂ થશે એટલે ત્રીજી ભૂમિકા શરૂ થશે. પૂર્વે કહી આવ્યા તે ઉપવાસ એ પહેલી ભૂમિકા છે. જાપ બીજી ભૂમિકા છે. વિચાર ત્રીજી ભૂમિકા છે. આ સ્થળે તપનો વિષય ચાલુ છે માટે જાપથી તપ થાય છે. પરમાત્માનું નામસ્મરણ કરવું તે તપ છે. તે સાથે આ તપ ધ્યાનપૂર્વક કરવું એટલે અભ્યતર તપ પણ સાથે થશે. ધ્યાનપૂર્વક જાપ એટલે હૃદયમાં અંતરદષ્ટિ રાખી જે ઈષ્ટદેવ પોતાના હોય તેની કે પોતાના સંરની મૂર્તિ હૃદયમાં રાખી, અંતરદષ્ટિથી તે જોયા કરવી અને મનથી તે મંત્રનો જાપ કરવો, તે મૂર્તિ ધ્યાનમાં ન આવી શકે તો જે ઈષ્ટદેવનો - જાપ કરાતો હોય તે અક્ષરોની આકૃતિ હૃદયમાં પડે તેવી રીતે તે જાપ કરવો અને અંતરદષ્ટિથી તે અક્ષરો જોયા કરવા, મનથી તે ઈષ્ટદેવનો જાપ ચાલુ રાખવો. આ તપ છે. સોનું જેમ અગ્નિથી શુદ્ધ થાય છે, તેમ મન આ તપથી શુદ્ધ થયું, તો પછી તે મન દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો એટલે શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ કરવો તે કઠિન નથી. ૩૬-૩૭. ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે તે વિષે ધર્મભાવના जगदाधारोधर्मो दयान्वितो दशविधश्च पूत जगत् । स्वर्गापवर्गसुखदः सुदुर्लभो भाव्यते भव्यैः ॥३८॥ यस्यांशमेवमुपसेव्य भजन्ति भव्या मुक्तिं वृषस्य शुचिदानदयादिज्ञातैः । शक्य स्वरूपमतुलं गदितुं हि सम्यक् किं तस्य नास्तिकनरैश्च कुशास्त्रवादैः ॥३९॥ BBBBBBBBBBBBBRUBRUBBBGBGBUBUBBBBBGRUBBELBURURUBURGBUBURBRUBBBBBBBUBURUBUH LOCOBBBBBBBGBUBUBUBBBBBBBBBBBBBUBBEREBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy