________________
જૈનધર્મ
૭૧
ધાર્મિક ગ્રંથોના પ્રકાશનમાં કરવામાં આવે છે, એ ગ્રંથોના સંરક્ષણના ઉપયોગમાં પણ લેવાય છે. જ્ઞાનભંડાર કે પુસ્તકાલય માટે આ વિભાગના દ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ સાધુ-સાધ્વીજીને ભણાવતા પંડિતોનો પગાર ચૂકવામાં પણ કરવામાં આવે છે.
૪-૫. સાધુ અને સાળી
આ વિભાગ માટે નિયત દ્રવ્યને સાધુ-સાધ્વીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દ્રવ્યથી સાધુ-સાધ્વીની સમ્યક જીવન જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવે છે. આને “વૈયાવચ્ચ ખાતું પણ કહેવાય છે.
૬-૭. શ્રાવક અને શ્રાવિકા
દીન અને દુઃખી, આર્થિક રીતે નબળાં શ્રાવક-શ્રાવિકાઓના દુઃખમાં સહભાગી બની તેમને અશુભ અને હિંસક મનોભાવોમાંથી આર્સ અને રૌદ્ર ધ્યાન] ઉગારી લઈને, ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા સાધારણ ખાતાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાતાના દ્રવ્યને સાધારણ દ્રવ્ય કહેવાય છે.
આ ઉપરાંત “જીવદયાનો પણ એક વિભાગ રાખવામાં આવે છે. તે માટે મળેલા દ્રવ્યનો ઉપયોગ પશુ-પંખીઓની સારવાર માટે તેમજ જીવોને [ઢોરઢાંખન્ને કસાઈખાનેથી છોડાવવા માટે કરવામાં આવે છે.
- આ સાતે ક્ષેત્રોના નિર્વાહ માટે જુદા જુદા દ્રવ્યોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે દ્રવ્ય (ધનરાશિ) જે ક્ષેત્ર માટે નિયત હોય તે દ્રવ્ય (ધનરાશિ) તે જ ક્ષેત્રોમાં વપરાય છે. અન્ય ક્ષેત્રમાં નહી. જો કે જરૂર પડે તો નીચેના ક્ષેત્રોના દ્રવ્યોનો ઉપયોગ ઉપર-ઉપરના ક્ષેત્રોમાં કરી શકાય પણ ઉપરના ક્ષેત્રના દ્રવ્યનો ઉપયોગ નીચેના ક્ષેત્રો માટે નથી કરાતો. આવી એક પારંપરિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. “સાધારણ દ્રવ્યનો ઉપયોગ બધાજ કાર્યો માટે થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org