________________
Fo
જૈનધર્મ
છે જ... પણ શારીરિક સ્તરે પણ શરાબ અત્યંત ખતરનાક ચીજ છે, એ આજે તો સ્વાસ્થ્યવિજ્ઞાને પણ સ્વીકાર્યું છે.
પેટમાં જતાની સાથે જ શરાબમાં રહેલ આલ્કોહોલ તરત જ જિગર દ્વારા નાના આંતરડા દ્વાર અને નસો દ્વારા લોહીમાં પહોંચી જાય છે. અને પછી ધીમે ધીમે આખા શરીરમાં ફ્લાય છે. મોટા આંતરડાંમાં શરાબ ભાગ્યે જ પહોંચે છે. ખાલી પેટમાં આંતરડાં દ્વારા આલ્કોહોલ' ને અતિ તીવ્રતાથી ખેંચી લેવામાં આવે છે. માત્ર ૧૦ થી ૩૦ મિનિટમાં ‘આલ્કોહોલ’ લોહીમાં ઉપર સુધી પહોંચી જાય છે. જેટલા વધારે પ્રમાણમાં શરાબ લેવાય... એટલું વધારે નુકસાન થાય છે. પેટમાં સોજો, હ્રદય અને કિડનીને નુકસાન થાય છે. ‘આલ્કોહોલ'નું ઝેર લોહીને વધું ગાઢું બનાવી દે છે. લોહી જામી જાય છે.
વધારે શરાબ પીવાથી હ્રદયની નસો અક્ષમ થઇ જવાની દહેશત પણ રહે છે. આંખો બળવા માંડે છે. ઉલ્ટી ઉબકાં થાય છે... ભૂખ મરી જાય છે... થાક વરતાય છે.... પરસેવો થાય છે. શરીરમાં ધ્રુજારી અનુભવાય છે.
શરાબના કારણે ગુસ્સો, આવેગ, ચિંતા, ભય, શોક, ઉદાસી, સુસ્તી, આ બધાના શિકાર બનવું પડે છે. માનસિક તનાવ વધ્યા કરે છે. તનાવ વધવાના કારણે લોહી ગરમ રહે છે. પાચન-ક્રિયા મંદ પડી જાય છે... માંસપેશિયો અને નાડી સંસ્થાન જયાં ભેગાં મળે છે. ત્યાં એસિટલ કોલોન’” નામક પદાર્થ પેદા થાય છે. જો કે બીજા બીજા પદાર્થો સાથે મળીને કાર્બન અને કોગલ’ની ઉત્પત્તિ પણ થાય છે.... આ બધાના કારણે લેકિટક એસિડ' વધી જાય છે. આના લીધે શરીરની ચામડીની મુલાયમતા-મૃદુતા અસ્ત થવા માંડે છે. લોહીના પરિભ્રમણમાં અને પેશીઓના સંચાલનમાં અવરોધ ઊભા થાય છે.
ઓહિયો વિશ્વવિદ્યાલય અમેરિકાના પ્રોફેસર ડો. વાલ્ટેયર સી. રેક્લેસ પોતાના પુસ્તક “ધ ક્રાઇમ પ્રોબ્લેમ’ નામના પુસ્તકમાં લખે છે કે અપરાધની પ્રવૃતિઓ કરવાવાળા વ્યકિતમાં શરાબ પીવાની, નશો કરવાની, માદક પદાર્થોનો ઉપયોગ કરવાની, અસ્વાભાવિક વિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org