________________
૫૬
જૈનધર્મ
આજે તો વૈજ્ઞાનિકો એટલે સુધી કહી રહ્યા છે કે જેનામાં કોલેસ્ટ્રોલ વધુ પ્રમાણમાં હોય એવા પદાર્થોને ઉપયોગ ટાળવો જોઇએ. કરવો જ પડે તો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ઈંડામાં વિટામીન સી' તો હોતું જ નથી. એની પૂર્તિ માટે તો બીજા પદાર્થો લેવા જ પડે.
વૈજ્ઞાનિકો તો ઈંડાના લૂણ (embryo) ના દિલના ધબકારનું અભિલેખન Recording પણ કરી શક્યા છે. [Reader's digest Aug 1963 p.p. 42] એટલે ઈંડામાં રહેલા ભૃણનું જીવત્વ પણ વિકાસશીલ હોય છે એ વાસ્તવિકતા છે. કહેવાતા શાકાહારી ઈંડા!
જો કહેવાતા શાકાહારી ઈડાની વાત કરીએ તો...
પહેલી વાત તો એ છે કે શાકાહારી' શબ્દ પ્રયોગ ઈંડા માટે કરવો એ નરી છલના છે. ઈંડા કેવળ માદા જાનવરથી જ મેળવી શકાય છે. એ કઈ ઝાડ કે વનસ્પતિ દ્વારા મેળવાતા નથી. પછી એને વેજીટેરીયન એગ” કહેવાય જ કેવી રીતે? આ ભ્રમણાભર્યા શબ્દપ્રયોગ માટે નથી તો જંતુશાસ્ત્રીઓ (Biologists) સહમત કે નથી વનસ્પતિ શાસ્ત્રીઓ (Botanists) સહમત. છતાંયે ઈંડાના પ્રચારકો આ શબ્દનો પ્રયોગ ખૂલ્લેઆમ કરી રહયા છે. આની પાછળ પ્રચારતંત્રની ઝાકઝમાળ જવાબદાર છે.
જરા વિચારો તો ખરા કે ઈંડા આવે છે કયાંથી? એ ઉત્પન્ન કયાં થાય છે? ઈંડા માદાની ઓવરી (ડિંબગ્રંથિ) માંજ ઉત્પન્ન થાય છે. ઈંડાનું એક બીજાં સમાંતર રૂપ છે શુદ્ધણું [Spems]. શુક્રાણુ “મેલ”ના ટેસ્ટીલમાં ઉત્પન્ન થાય છે. શુક્રાણુઓને જ્યારે માઈક્રોસ્કોપની નીચે મૂકીને જોવામાં આવે છે ત્યારે જોવા મળે છે કે એઓ એક કોશિકિય Unicellular હોય છે. એનામાં એક ન્યૂકિલાસ હોય છે. આ શુક્રાણુ હરતાફરતા નજરમાં આવે છે. આ પુરવાર કરે છે કે શુક્રાણુમાં જીવતા હોય છે. આની જેમ ઈંડા પણ એક કોશિકિય હોય છે. એનામાં પણ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org