________________
જૈનધર્મ
પપ
માણસો (૨૦ કુટુંબ માટે જેટલી ફળદ્રુપ જમીન અને પાણી વગેરે જરૂરી હોય છે. એટલા ઉપર જો માંસ આપનારા પ્રાણીઓને પાળવામાં આવે તો માત્ર ૧૫ વ્યકિતઓ (૩ પરિવાર માટે જ માંસ મેળવી શકાય.
ટોન્ડ મિલ્ક ૧૦૦ મિ.લિ. (૧ નાની વાટકી)
પ્રવાહી દાળ ૩૦ ગ્રામ (૧ વાડકી)
મગફળી ૧૫ ગ્રામ (૩૦ મોટા દાણા) આની કિમત થશે ૫૦ પૈસા. આમાંથી ૧૫ ગ્રામ પ્રોટીન, 300 કેલરીઝ મળી શકશે. જયારે બીજી બાજુ સામિષ આહાર માટે (૧૫ ગ્રામ પ્રોટીન યુકત) માંસ મછલી, ૪૦ ગ્રામ, ૧ ઇંડું-૫0 ગ્રામ.... એની કિંમત થશે દ0 પૈસા અને વળી કેલરીઝ તો માત્ર ૧૫૦ જ મળશે.
બધી રીતે માંસાહાર ત્યાજય છે.
ઈંડા પછી ભલે તે શાકાહારી કે નિર્જીવ ઈંડાનું રૂપાળું નામ ધરાવતા હોય, કોઈ પણ દ્રષ્ટિએ ખાદ્ય પદાર્થ નથી. અહિંસાને આવકારનારને કોઇ પણ વ્યકિત આનો સ્વીકાર કરી શકે નહી
ઈંડા પણ ખતરનાક છે !
આજકાલ ઈંડાનો સવાલ ખૂબ જ ગુંચવાડાભર્યો બની ગયો છે. પક્ષ અને પ્રતિપક્ષમાં ધોધમાર દલીલો અને દાખલાઓની ભરમાર ઊભી કરી દેવાય છે. પણ જો ઉંડાણમાં ઉતરીને પૂર્વગ્રહો ખંખેરીને રવસ્થતાથી વિચારીએ તો જરૂર લાગશે કે કોઇ પણ દ્રષ્ટિકોણથી ઈંડા પછી તે નિષેચિત હોય કે અનિષેચિત હોય, ખાદ્યપદાર્થના રૂપમાં સ્વીકાર્ય નથી
મોટાભાગે ઈંડાના પક્ષે તર્ક ધરવામાં આવે છે કે એમાં બધી જાતના પ્રોટીન અંશો “અમીનો એસિડસ” ઉપલબ્ધ હોય છે. પણ એ તો દૂધમાં પણ મળી રહે છે. અને ઉપરથી ઈંડાની જરદી (yellow of an egg માં કોલેસ્ટ્રોલની માત્રા વધુ પડતી હોવાના કારણે રક્તવાહીનીઓની કઠોરતા Arteriosclerosis, હાર્ટએટેક, મસ્તિષ્કનો લકવો, બેહોશી જેવા રોગો થવાની પૂરી ભીતિ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org