________________
૧૪
જૈનધર્મ
દેહભાવમાં આસક્ત બનવું એમની સાધના માટે અવરોધક નીવડે છે.
જૈન સાધુ-સાધ્વી અરસપર્સ મળે છે ત્યારે “મFણ વંદામિ’ કહી એકબીજાનું અભિવાદન કરે છે. “મથએણ વંદામિ' એટલે હું આપને પ્રણામ કરું છું.' શ સ્થાપનાચાર્યજી - જૈન સાધુ-સાધ્વી પોતાની તમામ ધર્મપ્રક્રિયાઓ સ્થાપનાચાર્યજીની સમક્ષ કરતા હોય છે. શંખના નીચેના ભાગને વિશેષ આકૃતિ આપીને એમાં વિધિવત્ મંત્રોચ્ચારપૂર્વક પંચપરમેષ્ઠિ ભગવંતોની સ્થાપના કરવામાં આવે છે. એને પ્રતિષ્ઠિત કરાય છે. ત્યારબાદ રૂમાલ લપેટીને ચંદનની ૪ દાંડીઓના બનેલા એક વિશેષ સ્ટેન્ડ (ઠવણી પર એને રાખવામાં આવે છે. આને ભગવાન અથવા સ્થાપનાચાર્યજીના નામે ઓળખાય છે.
પ્રવચન વગેરેમાં આ સ્થાપનાચાર્યજીને સામે રાખવામાં આવે છે.
દરેક સાધુ-સાધ્વીના સમૂહમાં આનું હોવું અનિવાર્ય મનાયું છે. જયારે કેટલાક ઉપાશ્રયોમાં પણ આ રાખવામાં આવે છે. જે પદ-પ્રદાન
જૈન સાધુ સાધ્વી નિરંતર સંયમ-સાધનામાં રત રહે છે. તપ-ત્યાગની સાથે જ્ઞાન-ધ્યાનમાં પ્રવૃત રહે છે. આ બધી સાધનામાં તેઓ સાધનાની વિવિધ ઊંચાઈઓ સર કરે છે. ત્યારે તેમના ગુરુભગવંતો શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેમને યોગ્યતા અનુસાર વિવિધ પદવીઓ પ્રદાન કરે છે. આજકાલ જે પદવી પ્રદાન કરાય છે તે ક્રમશઃ આ પ્રમાણે છેઃ પન્યાસ અને ગણિપદ
વિશિષ્ટ અધ્યયન સાધના અને ઉપાસનાથી વ્યકિતત્વ વધુ વિમળ અને ગંભીર બને છે ત્યારે સાધુને આ પદ આપવામાં આવે છે. આ પદ પ્રાપ્તિ માટે જૈન આગમોનું તલસ્પર્શી જ્ઞાન હોવું અનિવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org