________________
૧૨૯
જૈનધર્મ
રૂપ નહીં લે. મન શાંત-સ્વસ્થ અને સંતુલિત રહેશે. આ ભાવનાઓને અપેક્ષા પણ કહેવાય છે.
૧. અનિત્ય ભાવના : આ સંસારમાં કશું જ શાશ્વત અને અજર-અમર નથી. શરીર, ધન, ધાન્ય, પ્રતિષ્ઠા, પરિવાર આદિ સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. જેનો વિયોગ નિશ્ચિત છે. તો પછી એ બધાની શું મમતા રાખવી ? એ બધાનો મોહ શા માટે કરવો ? -આવું વિશદ ચિંતન કરવું તે “અનિત્ય ભાવના છે.
આ માટે ભરત ચક્રવર્તીનું દ્રશ્ચંત પ્રેરક અને પ્રોત્સાહક છે.
૨. અશરણ ભાવના : જયારે કોઈ વસ્તુ કે વ્યકિતનો વિયોગ થાય-છૂટા પડવું પડે ત્યારે વિચારવું. આ સંસારમાં કોઈ કોઈનું સગું સાચું નથી, આધિ, વ્યાધિ અને ઉપાધિમાં કોઈ જ સહભાગી બનતું નથી. અહી કોઈ કોઈનું શરણ નથી. આ સંસારમાં માત્ર ધર્મ જ એક સાચું શરણ છે. ધર્મ જ જીવાત્માને સહાયક છે. - આમ વિચારવું તે “અશરણ ભાવના
આ માટે અનાથિ મુનિનું દ્રષ્ટાંત પ્રેરક અને પ્રોત્સાહક છે.
૩. સંસાર ભાવનાઃ જયારે કોઈનું મૃત્યુ થઇ જાય... સંબંધોમાં તિરાડ પડે ત્યારે વિચારવું, અનાદિ અનંત સંસારમાં સંબંધોનું કોઈ જ સાતત્ય નથી. ભવભ્રમણમાં આ જીવાત્માએ અનેક સગપણો કર્યા છે. માતા મરીને બીજા જન્મ પત્ની થાય છે. પુત્ર મરીને બીજા ભવે પતિ થાય છે. કયારે કોઈ રિતો તો કયારે કોઈ સંબંધ. કયારે વળી કોઈ સગપણ જન્મ બદલશે, જીવન બદલશે અને સંબંધો બદલાઈ જશેદુશ્મન દોસ્ત બની જશે.... દોસ્ત દુશ્મની દાખવશે. કોઈ જ સંબંધ અને સગપણ સ્થાયી નથી રહેતા. વિચિત્ર છે આ સંસાર ! આવી વિચારણા કરવી તે “સંસાર ભાવના છે.
આ માટે રાજકુમારી મલ્લિનું દ્રષ્ટાંત બોધક અને બળપ્રદ છે.
૪. એવી ભાવના : જયારે એકલતાની આગ દઝાડવા માંડે. કોઈ આપણું ના રહે. ત્યારે વિચારવું કે સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે. તે એકલો જ શુભ-અશુભ કર્મ બાંધે છે અને તે મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org