________________
૧૨૮
.
જૈનધર્મ
ન પહોંચે કે ન તો તેમની હિંસા થઇ જાય.
પપારિષ્ઠાપાનિક સમિતિ : વૅક, લીટ, મળ-મૂત્ર, એંઠવાડ વગેરે જે કંઈ બહાર ફેંકવાનું હોય તે કાળજીપૂર્વક ફેંકવું કે જેથી કોઈના ઉપર પડે નહિ તેમજ જીવહિંસા થાય નહિ.
આ પાંચેય સમિતિનો મૂળ અને મુખ્ય ઉદ્દેશ્ય હિંસાથી બચવાનો
ગુપ્તિ
ગુપ્તિ એટલે રોકવું. મન, વાણી અને કાયાને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાં જતાં રોકવા અને એ ત્રણેયને શુભ વૃત્તિ-પ્રવૃત્તિમાં રત રાખવા, તેને ગુપ્તિ કહે છે. તે ત્રણ છેઃ
૧. મનોગુપ્તિ : ખરાબ અને દુષ્ટ વિચારો ન કરવા અને મનને આત્માના ધ્યાનમાં એકાગ્ર રાખવું.
૨. વચનગુપ્તિ : અપશબ્દો ન બોલવા, કઠોર, કર્કશ અને તિરસ્કારયુક્ત ન બોલવું બિનજરૂરી ન બોલવું. અને મૌન રાખીને આત્મધ્યાનમાં રહેવું.
૩. કાયવુતિ : શરીરથી થતાં તમામ પ્રકારના સ્વચ્છેદનો ત્યાગ કરીને, કાયાને-શરીરને સુસ્થિર રાખીને આત્મલીન બનવું.
3 ભાવના
ભાવના એટલે ચિંતન-મનન કરવું વિચારોનું વિસ્તરીકરણ એટલે ભાવના. સંસારની વિવિધ ઘટનાઓમાં આત્મા-મન ગૂંચવાય અને ગુંગળાય નહિ આ માટે ૧૬ પ્રકારની ભાવનાઓનું ચિંતન કરવાનું જૈન દર્શને સૂચવ્યું છે. ઘટનાઓથી ખળભળતા દુનિયાના દરિયામાં હાલકડોલક થતી જીવનની નૌકાને જો આપણે ભાવનાઓના હલેસા આપીને આત્મચિંતનના કિનારે લઈ જઈએ તો કોઈ ઘટના દુર્ઘટનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org