________________
૧૩૪
જૈનધર્મ
ધ્યાન મુખ્યત્વે ચાર પ્રકાર છે.
૧. આર્તધ્યાન : મનગમતી વસ્તુનો વિયોગ થતાં તેને મેળવવા માટે તેમજ અણગમતી વસ્તુનો સંયોગ થતાં તેનાથી છૂટકારો મેળવવા માટે ચિંતાતુર બનવું, રડવું, કકળવું માથું કૂટવું, શોકાકુળ બનવું, તેને આધ્યાન કહે છે.
ચિંતામાં પણ મન એકાગ્ર બને છે, આથી શાબ્દિક દ્રષ્ટિએ તેને ધ્યાન કહ્યું છે પરંતુ આ ધ્યાન આત્મવિકાસમાં સહાયક અને પ્રેરક ન બનતાં આત્માને દૂષિત અને દોષિત બનાવે છે, તેથી આર્તધ્યાનથી દૂર રહેવું જોઈએ.
૨. રૌદ્રધ્યાન: હિંસા, જૂઠ, ચોરી અને વ્યભિચાર વગેરે પાપો કરવા માટે સતત વિચાર અને યોજનાઓ કરવી તેમજ તેનો અમલ કરવો-કરાવવો તે “રૌદ્રધ્યાન' છે. આત્મવિકાસમાં આ ધ્યાન બાધક હોવાથી તે ત્યાજય છે. - ૩. ધર્મધ્યાન જે વૃત્તિ અને પ્રવૃત્તિની એકાગ્રતાથી આત્માની શુદ્ધિ થાય, જીવન પવિત્ર અને પાવન બને, તેને “ધર્મધ્યાન' કહે છે. આ ધ્યાન વારંવાર કરવા યોગ્ય છે.
૪. શુક્લધ્યાન : આત્માના વિમળ અને વિશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થવી, આત્મસાક્ષાત્કાર થવો, તેને “શુકલધ્યાન' કહે છે. તમામ પ્રકારના મોહ અને દોષો નષ્ટ થતાં આ ધ્યાન સિદ્ધ થાય છે, તે કરણીય
ક્યિા-ભેદથી આ ચારેય ધ્યાનના વિવિધ પ્રકાર બતાવાયા છે.
કે નવપદ
આત્માના ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ માટે મનને શુભ ધ્યાનમાં રાખવું. અનિવાર્ય છે. મનને એકાગ્ર કરવા શુભ આલંબન આવશ્યક છે.
જૈન ધર્મમાં ધ્યાન માટે “નવપદ'નું સુરેખ અને સુરમ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. નવપદ દુનિયાના સર્વશ્રેષ્ઠ તત્ત્વો છે, તે દરેકનું તેમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org