________________
જીવન, અબીહાલ !
ભૂતકાળની ભૂતાવળોનો જનાજો ઉંપાડીને ક્યાં સુધી જીવ્યા કરીશું ? સ્મૃતિઓની વણઝાર આપણને વીતેલી વળગણો સાથે જોડી રાખે છે.... અતીતનો અવસાદ આપણે ઓગાળી શકતા નથી ! એક બાજુ ભૂતકાળ સાથે નાતો જોડી રાખીએ છીએ.... તો બીજા બાજુ ભવિષ્યનાં શમણાંઓનો કાફલો આપણી આંખ અને અંતરને એવો ઘેરી વળે છે કે વર્તમાનની પળો સાથે આપણે આંખમીંચામણા કરી દઈએ છીએ ! વાસ્તવમાં તો જે કંઈ છે તે માત્ર વર્તમાન છે ! વર્તમાન સાથે વેર બાંધીને માણસ આનંદ મેળવી જ ના શકે ! આનંદની એક જ ક્ષણ હોય છે.... અને તે છે વર્તમાન ! હમણાંની ક્ષણ !.... વર્તમાનમાં જીવવું એટલે પ્રતિપળની જાગ્રતિ ! એ જ સુખના ખજાનાની ચાવી છે. ભૂલી જાવ ભૂંડા ભૂતકાળને ! ખંખેરી દો ભવિષ્યનાં કોરાધબ શમણાંઓને ! સ્વીકારી લો જે શુભ છે, શ્રેય છે, તેને ! જીવો વર્તમાનમાં !
Please, live in the present !
Jain Education International
વિચારપંખી - ૭૯
✰✰✰
For Private & Personal Use Only
www.ainelibraccorg