________________
દોસ્તીની બારાખડી.... નીતિશાસ્ત્રનું એક વાક્ય છેઃ સમાનશીલ – વ્યસનેષુ સખ્યમ્’
-
દોસ્તી કરવી સરખે સરખાની સાથે ! મૈત્રીનો માંડવો બાંધવો પણ સમાનતાના આંગણે ! પહેલીનજરે બહુ મહત્વની નથી લાગતી વાત.... પણ મૈત્રીનો નાતો જો સમાન કુલ/સમાન શીલસ્વભાવ અને સમાનચિ - અભિરુચિવાળાઓ વચ્ચે જોડાય તો એમાં તિરાડ પડવાની કે એ સંબંધ તરડાવવાની સંભાવના ઓછી રહે છે ! જો સમાનતાને સમજ્યા કે સ્વીકાર્યા વગર દોસ્તીના દાવ ખેલી બેઠા જેની તેની સાથે. તો દોસ્તી દુશ્મનીની દાવેદાર બની બેસશે !
સરખેસરખાની પ્રીત જીવનને તંદુરસ્તી અર્પે છે. અલબતપ્રેમનો પ્રવાહ કે સંબંધનો વેગ એટલો તો તીવ્ર હોય છે કે એમાં માણસ બહુ વિચારી શકતો નથી અને મૈત્રી માગી બેસે. ઠીક છે....ચાલી જાય તો જિંદગી આખી ઝળહળી જાય, ન બને તો પત્તાના મહેલની જેમ મૈત્રીનો મહેલ તૂટી પડે ! વાત બની જતી હોય....દોસ્તી જામીજતીહોયત્યાંતો બધાટજ વાહવાહ માશાલ્લાહ’ કહેશે પણ એ જ બનેલી વાત જો બગડી.... તો ખલાસ
Jain creatosanational
વિચારપંખી-૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org