________________
057
Jair Education international
આ શિખામણ નથી હોં !
આપણા સમાજમાં એવા લોકોની પણ એક જમાત હોય છે જે વણજોયે શિખામણનો શીરો તમને પીરસ્યા કરે! માગવા ન જાઓ તો યે ‘હું પણ કઈક છું” ની અદાથી સલાહ સૂચનો આપ્યા કરે ! એવા લોકો બિચારા ભૂલી જાય છે કે માગ્યા વગર શિખામણ અપાય નહીં! પૂછયા વગર સલાહ-સૂચન દેવાય નહીં!
આમ પણ શિખામણ માગવાની ચીજ છે, આપવાની નહીં! સલાહ લેવાની વસ્તુ છે, દેવાની નહીં!
આપવું હોય ત્યારે સામે કોઈ માંગનાર છે કે નહીં એનો વિચાર તો કરવો જ જોઈએ ! આ તો જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે ચાલુ થઈ જાય ! જાણે દુનિયા આખીને સુધા૨વાનો ઈજારો એ જનાબના ખિસ્સામાં જ હોય !
વારે વારે શિખામણ આપનારા સામી વ્યક્તિનો સ્નેહ ગુમાવી બેસે છે! માગે ને શિખામણ અપાય તો એ શીરા જેવી લાગે પણ વણજોઈતી શિખામણ તો સોટી જેવીજ લાગે !
શિખામણ=જે મણ જેટલું શિખ્યા હોય એજ શિખામણ આપી શકે ! તમારા મારા જેવા શિખાઉનું કામ નહીં....નહીંતર કો’ક હળવેથી કહેશે –
વિચારપંખી - ૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org