________________
મા આખર મા છે! 1 યહૂદી ધર્મગ્રન્થ ‘તાલમૂદ માં એક ઠેકાણે લખ્યું છેઃ “ઈશ્વર બધે નથી પહોંચી શકતો માટે તેણે “મા”નું સર્જન કર્યું છે. કેવી ઊંચી વાત છે!માએ પરમાત્માની નાની આવૃત્તિ છે. ‘મા’ની મમતાના મૂલ કરતાં કરતાં કવિઓપણ થાકી ગયા!એના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે! લખવા લાગો તો અક્ષરો ઓછા પડે! | મા વિષે તો ખલિલ જિબ્રાન પણ મોંઘી વાત કરે છે માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે “મા”! અને મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે “મારી મા'!
માની આંખનું આંસુએ આંસુનહી પણ લોહીછે! એના હોઠ પરથી સરકતા શીખામણના શબ્દો એના માસુમ હૈયાની કારી વેદનાને છતી કરે છે. એના બિન્દુ જેવા આંસુમાં સિંધુનો ખળભળાટ ખામોશ છે. માના આંસુ તરફ બેપરવા ના બનશો.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે: “માના આશીર્વાદ ભાવમંગલ છે.” આખરે તો પરમાત્મામાંયે ‘મા’ છે.
આત્મામાં તો છે જ!
ડિસ
વિચારપંખી –૩૭
Jain Education International
For Private & Personal Use Only
wa aineliborg