________________
B'
=
દિલનો દીપ જલાવો દિવાળીએ!
આજે દિવાળી !
જે દિલના દેવાલયને અજવાળે... અંતરના આકાશને ઉઘાડે.પ્રાણોને પ્રેમથી પલાળે, દેહના દીપને ઉજમાળે એનું જ નામ દિવાળી ! મન જો, મળે....વેરની ગાંઠો ગળે અને દિ જોવળેતોજદિવાળી સાર્થક બને!
“દીપ સે દીપ જલે નો સંદેશો આપવા માટે આવે છે આ દિવાળીનું પર્વ વરસો વરસ! અમાવસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળીની ઉજવણી!
આપણે પણ દિલના ગોખમાં દિવ્ય દીવા પેટાવીએ.....અંતરને આલોકિતકરે.....જીવનપથને પ્રકાશિત કરે એવા દીવડાં જલાવીએ!
આજથી ૨૫૧૮ વર્ષ પહેલાં આસોની અમાસની અંધારી કન્જલ-શ્યામ રાતે શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીનો દેહ – દીપ ઓલવાઈ ગયો. ૭૨/૭૨ વર્ષ સુધી દુનિયાને દિવ્ય પ્રકાશ આપનાર જ્યોત વિલાઈ ગઈ.... અનંત અસીમ અસ્તિત્ત્વમાં! અને આન્તર-દીપની યાદમાં લોકોએ બાહરી દીવા જલાવ્યા. આ દીવા તો પ્રતીક છે / સંકેત
વિચારપંખી ૧૩૪
Jain
ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org