________________
શ્યામ, પણ સલૂણી રાત!
આજનો દિવસ છે શ્યામ ચતુદશીનો !
શ્રમણ પરમાત્મા તીર્થંકર મહાવીરસ્વામીએ પાવાપુરીમાં આજના દિવસે એમની અંતિમ પ્રવચન શ્રેણીનો પ્રારંભ કર્યો. ‘ઉત્તરાધ્યનસૂત્ર'માંજે આકલિત છે તે ! જીવનમાં વિચાર-વર્તન ને વાણીની સંવાદિતા લાધવાની કેડી ચીંધી!દેવો, માનવો, પશુપંખીઓલીન - તલ્લીન બનીને પ્રભુના શ્રુતિમધુર સ્વરના પ્રવાહમાં વહેતા જ રહ્યા.. વહેતા જ રહ્યા.....!!!
મંત્ર-તંત્રની સાધના કરનારા સાધકો માટે આજની રાત ઘણીજ અગત્યની ! રાત-રાતભર મંત્ર જાપની ધૂણી ધખાઈને બેસી જશે તાંત્રિકો અને માંત્રિકો... યંત્રના આરાધકો યંત્રનું આલેખન કરશે.....જાપ કરનારા જાપનું જાગરણ કરશે... કાળી ડિબાંગ રાતે સાધનાનો સૂરજ ઉગશે.
રાત ગમે તેવી ગાઢ હોય પણ એના છેડે પ્રભાતનો ચંદરવો શણગારાયેલો હોય છે! અંધકાર જેટલો ગાઢ.....પ્રકાશનકિરણો એટલા જ તીવ્રતાથી પથરાઈ જાય !
આજની રાતની વાત એટલી કે જીવનનારાહે અંધારી આલમનો ઓથાર છવાયો હોય.....
વિચારપંખી ૧૩૨
Jain Guaranterrational
For Private & Personal Use Only
www.jainelibrary.org