SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન-જૈનેતરોમાં સમાન આદર પામી હતી. તેમની નવલકથાને પંદર કે વીસ વખત વાંચનારા આજે પણ મળી આવે છે. એમને અધ્યાત્મ-જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો હતો તેમજ ભા૨ત સ૨કાર અને ગુજરાત સરકાર દ્વારા એમની પંદરેક કૃતિઓને પુરસ્કારને પાત્ર ઠરી હતી. ‘દિલના દીવા' નામના એમના પુસ્તકને પ્રોઢ સાહિત્ય, બાળસાહિત્ય અને એના અંગ્રેજી અનુવાદને – એમ ત્રણ રીતે પારિતોષિકો મળ્યા હતા. અનેક સમકાલીન સાહિત્યકારો અને કલાકારો સાથે તેમનો ગાઢ સબંધ હતો. એ એમની સાહિત્યકાર તરીકેની દિલાવરી અને અજાતશત્રુતા દર્શાવે છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના પ્રેસ શારદા મુદ્રણાલય સાથે એમને આંખોની તકલીફ ઊભી ના થઈ, ત્યાં સુધી તેઓ જોડાયેલા રહ્યા. એમના સાહિત્યિક ડાયરામાં પદ્મશ્રી દુલા કાગ, સાક્ષરવર્ય ‘ધૂમકેતુ’, શ્રી ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધીરુભાઈ ઠાકર, રમણિકલાલ દલાલ, ચિત્રકાર કનુભાઈ દેસાઈ, સોમાલાલ શાહ, ચંદ્ર તથા રજની વ્યાસ અને દીપક પ્રિન્ટરીના સંચાલકો જેવા એના વણનોંધ્યા સભ્યો હતા. મહાન જાદુકલાવિદ્ કે. લાલ અને જયભિખ્ખુ વચ્ચે એટલો ગાઢ સબંધ હતો કે કોણે કોના પર જાદુ કર્યું છે તે કહેવું મુશ્કેલ હતું. શ્રી કે. લાલના સહયોગથી ભાગવનગરની શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાની પ્રવૃત્તિઓને પુનર્જીવન આપ્યું તેમજ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. અમદાવાદ, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં ‘જયભિખ્ખુ'ના વાચકોએ ષષ્ઠિપૂર્તિ સમારંભનું આયોજન કર્યું હતું. પોતાના મૃત્યુ અગાઉ એક મહિના પૂર્વે ૧૯૬૯ની ૨૫મી નવેમ્બરે લખેલી રોજનીશીમાં વિદાય-સંદેશ આપતાં એમણે લખ્યું, “મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં. નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું. પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી. બને ત્યારે તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” Jain Education International ૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004535
Book TitleShatabdi Vandana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy