________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ
કુટુંબની વિધવા પુત્રવધૂ લાડુબહેને પંડિતજી પાસે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે પેાતાને ભણાવે. પંડિતજીએ કહ્યું કે હું સાધુને ભણાવું છું ત્યાં આવજો. “એક તા એ સ્ત્રી અને એમના જેવા મેાટા ગણાતા સાધુ સાથે શાસ્ત્ર શીખે તા સાધુની મહત્તા શી રહે?”
ક
આથી રૂઢિચુસ્તએ અને સાધુઓએ પંક્તિજીને વિનંતી કરી કે લાડુબહેનને ભણાવવાં નહીં. આથી પંડિતજીએ લાડુબહેનને ઘેર જઈ ભણાવવાનું શરૂ કર્યું. આ પણ મુખ્ય મહારાજજીને ગમ્યું નહીં. આવું વલણ જોઈ પંડિતજીએ જાહેર કર્યું :
“જો કોઈ ઢઢભંગી કે બહેના ભણવા આવશે અને વધારે વખતની જરૂર હશે તે હું સાધુઓને ભણાવવાનું છેાડી દઈ ને પણ તેમને ભણાવીશ.” તેમણે ત્યાં જ એક સંકલ્પ એ કર્યું કે –
――
“હવે ગમે તેટલી છૂટ અને સગવડ મળે તોયે સાવર્ગને સામે માઢે ચાલી ભણાવવા ન જવું, પશુ જો તેઓ મારી શરતે મારા સ્થાને ભણવા આવે તે તેમને સંપૂર્ણ આદર ને ઉત્સાહથી ભણાવવા.” બાળપણથી બૌદ્ધિક ભૂખ
પંડિત સુખલાલજીના જન્મ કાં તે એમની પિતૃભૂમિ લીમલી (સુરેન્દ્રનગર પાસે આવેલ ગામડું) કે એમના મેાસાળ કેાંઢ(હળવદ પાસે)માં થયા હતા એમ પંડિતજી કહેતા હતા. એમની જન્મતારીખ વિશે આવી ફાઈ અચાક્કસતા નથી. એમના જન્મ ૧૮૮૦ના ડિસેમ્બરની
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org