SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સુખલાલજીએ ભારતીય તત્ત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મગ્રંથની જંજીરમાંથી મુક્ત કર્યું. એટલે જ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરને સુખલાલજી પ્રત્યે મમતા હતી. હું એક વખત પંડિત સુખલાલજી સાથે ગાંધીજીને મળવા ગયે હતો. અમે ગાંધીજીની વિદાય લીધી ત્યારે સુખલાલજી ભણી આંગળી ચીંધીને તેમણે મને કહ્યું: છોકરા, એમને છોડતે મા. એ તે આપણું ચાલતી-ફરતી વિદ્યાપીઠ છે.” પંડિતજી એકીસાથે વિદ્વાનોના વિદ્વાન અને આમજનતા-માનસના મુક્તિદાતા હતા. તેમણે ધર્મ અને ફિલસૂફીને પિોથી મુક્ત કરી સભ્ય અને ન્યાયી સમાજના ઘડતરનું એક સાધન બનાવ્યાં. પંડિતજીને મન જે ફિલસૂફી જીવનને સેવાભાવી કરવામાં મદદ ન કરે તે અપ્રસ્તુત ફિલસૂફી હતી. તેમણે દુનિયાના લગભગ બધા મુખ્ય ધર્મોનું એવું તાર્કિક સમીકરણ કર્યું કે દરિદ્રનારાયણલક્ષી ગાંધીવિચારને ધર્મોનું પીઠબળ મળ્યું. પંડિતજીના ધર્મવિચારની પાછળ પ્રેરકબળ બે હતાં: અનુકંપા અને તર્ક. એક જ વ્યક્તિમાં અનુકંપા અને તર્કનું આટલું ઊંડાણ જવલ્લે જ જોવા મળે છે. પંડિત સુખલાલજીનું વ્યક્તિત્વ અનન્ય એટલા માટે બન્યું કે તેમણે માનવજાતની ધર્મની અને ફિલસૂફીની પરંપરામાંથી નીર અને ક્ષીર જુદાં કર્યા. આનું પરિણામ એ આવ્યું કે સામાન્ય પ્રજાને જીવનયાત્રામાં એક પગથિયું ઊંચે કેમ ચડવું તેનું વૈચારિક વ્યાકરણ મળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004534
Book TitleSukhlalji Sanghavi Parichaya
Original Sutra AuthorN/A
AuthorVadilal Dagali
PublisherParichay Trust Mumbai
Publication Year1980
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy