SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ જાપ દ્વારા ઉત્પન્ન થયેલા આરાધક ભાવને ટકાવી રાખવા (મારો આ આરાધક ભાવ હૃદયમાં સ્થિર થાઓ.) એવા સંકલ્પ પૂર્વક ૧૨ નવકાર અને પાંચ મંગળભાવના ગણવી પછીજ આસન પરથી ઉભા થવું. અન્યથા આંધળી દળે અને કુતરાં ચાટે જેવી સ્થિતિ થાય. આપણે આરાધના કરીએ અને સાંસારિક પ્રવૃત્તિઓમાં તે ડહોળાઇ જાય. તેને અટકાવવા ઉપરનું વિધાન દરેક વખતે જાપના અંતે કરવું. (આ વિધાન આ જ પરિશિષ્ઠમાં ૪થા વિભાગમાં ૧૭૧માં પેજમાં આપેલ છે.) ૩ જાપની પહેલાં કરીએ મન ભાવિત શ્રી નવકારના જાપને આત્મા સાથે જોડાણ કરવા તેને પ્રાણવંતો બનાવવો પડે. તે માટે જીવમાત્રના કલ્યાણની ભાવના, સર્વ જીવ-મૈત્રી ભાવના, પરમેષ્ઠિની શરણાગતિ વાર ની ભાવના દ્વારા જાપ પૂર્વે આત્માનો ભાવોલ્લાસ જાગૃત કરવો.. જાપ કરવા બેસો ત્યારે પ્રારંભમાં નીચે જણાવેલી ભાવનાઓ ભાવવા દ્વારા તે શબ્દોમાં રહેલા ભાવોને ભાવજાપની ભૂમિકા સુધી લઇ જાય... બહુજ શાંતચિત્તે શબ્દોના ભાવોને ઝીલી અત્યંત ભાવપૂર્વક મનમાં બોલવું. ત્રણ નમસ્કાર મહાવીર પ્રભુ-ગૌતમ સ્વામિ તથા ગુરુ મ. નું સ્મરણ કરવું. * ચત્તારી મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલં,કેવલી પણ7ો ધમ્મો મંગલ. * ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલી પણ7ો ધમ્મો લાગુત્તમો. ચત્તારી શરણં પવામિ, અરિહંત શરણે પવન્જામિ, સિદ્ધ શરણં પવામિ, સાહૂ શરણં પવન્જામિ, કેવલી પણત ધર્મ શરણે પવન્જામિ. [૧૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy