SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે શ્રી નવકારને મહામંત્રની અપૂર્વમહિમા સૂચવનારી પાંચ ઉપમાઓ દર્શાવી. હવે શ્રી નવકાર મહામંત્રના લોકોત્તર આધ્યાત્મિક પ્રભાવને સૂચવતી ચાર ઉપમાઓ દર્શાવાય છે કે જે આ ચિત્રમાં નીચેના ભાગે દેખાય છેઃ વજ (ડાબે) અને ચક્રરત્ન (જમણે) તથા દીવાદાંડી (ડાબે) વહાણ (જમણે) દેખાય છે. એટલે કે શ્રી નવકાર મહામંત્ર એટલો બધો અભૂત પ્રભાવશાળી છે કે – - વજ જે રીતે મોટા-મોટા પર્વતોના ભુક્કા કરી નાંખે, તેમ ઓગણોતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ તોડવાની અપૂર્વ શક્તિ જેના એકેક અક્ષરના દ્રવ્યથી પણ ઉચ્ચારમાં રહેલી છે, તેવો શ્રી નવકાર મહામંત્ર અતિગાઢ તીવ્રતમ મિથ્યાત્વ આદિરૂપ મોહના સંસ્કારોને ગુરૂગમથી કરાયેલ જાપ-ધ્યાન-ચિંતાનાદિ પ્રભાવે નષ્ટ કરી નાખે છે. વળી ચક્રવર્તીનું ચક્ર જે રીતે વિષમ દુશ્મનોને પણ ક્ષણભરમાં કબજે કરાવી દે છે અને ચક્રવર્તીને છ ખંડની અપૂર્વ ઋદ્ધિ આપે છે. તે રીતે શ્રી નવકાર પણ નિબિડતમ કર્મના સંસ્કારોના બંધનોને મૂળથી છેદી આત્માને કર્મની ગુલામીમાંથી છોડવી અખંડ આનૈશ્વર્યનો ભોક્તા બનાવે છે. આ પ્રમાણે દીવાદાંડી જેમ ભરદરિયે પહાડ કે ભેખડો સાથે અથડાઈને ભાંગીને ભૂકો થઈ જવાના મહાન ભયમાંથી વહાણને દૂરથી ઉગારી લે છે. તેમ કુવિચાર, તીવ્ર સંકલેશ આદિ વિષમ વિક્ષેપોમાંથી જીવનને હેમખેમ બચાવનાર શ્રી નવકાર મહામંત્ર છે. તે રીતે શ્રી નવકાર અનાદિ અનંત આ સંસાર સમુદ્રમાં આથડી રહેલ આપણા જીવાત્માને નિરાબાધપણે પાર ઉતારી મુક્તિરૂપ નગરમાં લઈ જનાર સર્વ સાધન સંપન્ન સફરી વહાણ જેવો છે. [૧૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy