SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તવકાર કેમ ગણાય ? (નવકારના આરાધકને સૂચનો) શ્રી નવકા૨ના જાપમાં એકાગ્રતા જરૂરી છે. આ એકાગ્રતા લાવવા માટે પ્રાથમિક ભૂમિકાએ નિમિત્ત કારણો પણ કામ કરતા હોયછે. આથી શ્રી નવકારના આરાધકે નીચેની કેટલીક બાબતો હૈયાથી સમજી અમલમાં મુકવા પ્રયત્ન કરવો. - સંપાદક * શુધ્ધ થઈને, શુધ્ધક્ષેત વસ્ત્રો પહેરીને સાનુકૂળ ભૂમિતલ પ્રમાજવું. * આસન બાંધીને - આસન એકજ જગ્યાએ રાખવું, શ્વેત કટાસણું વાપરવું. નવકારના જાપ માટે દિશા પણ એકજ રાખવી. પૂર્વ યા ઉત્તર સન્મુખ બેસવું. જાપનો સમય એકજ રાખવો. ૧૮ અભિષેક વાળી અભિમંત્રિત સુતરની શ્વેતમાળા વાપરવી. જાપવાળી માળા એકજ રાખવી બદલવી નહીં. * ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ” ની ભાવના વડે વાસિત કરવું. * શ્રી નવકારનો જાપ શરૂ કરતાં પૂર્વે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તથા શાસનપતિશ્રી મહાવીર પ્રભુનું તેમજ અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામીજીનું નામ ત્રણવાર લેવું. * શ્રી નવકારનો જાપ કરતાં આંખો બંધ રાખવી, અગર ધ્યાન નવકારના પટ સામે રાખવું અથવા દ્રષ્ટિને નાસિકાના અગ્રે સ્થાપવી. ધીરે ધીરે શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે શ્રી નવકારનો જાપ કરવો જોઈએ. * નવકારવાળી કેટલી ગણવી છે. તેની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા પાંચથી વધુ માળા ગણી શકે, પણ પાંચમાળાથી ઓછી નહીં જ. [ ૯૦ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy