SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારતું આહવાન યાને ઘોષણા “તાવ ન નાયજ્ઞ વિતેળ, વિતિયં ૪ વાયા! | काएण समाढत्तं, जाव न सिरिओ णमुक्कारो || १ ||” અર્થાત્ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રને જ્યાં સુધી સ્મર્યો નથી, ત્યાં સુધી જ ચિત્તથી ચિંતવેલું વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય થતું નથી (૧) ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જેમ શાશ્વત છે, તેમ નવકાર એ શાશ્વત છે, શ્રી તીર્થંકરોની ધર્મદેશનાની જેમ એના ઉપકારો અનંતાછે, જગતમાં કોઈપણ એવું પાપ નથી કે જેનો પ્રતિકાર નવકારના આશ્રયથી અશક્ય હોય, નવકારના અક્ષરો કેવળ અક્ષરો જ નથી, કિન્તુ સાક્ષાત્ અક્ષરમયી દેવતાઓ જ્યોતિપુંજો છે. એનો આશ્રય લેનાર, એનું વિવિપૂર્વક શ્રવણ કે સ્મરણ કરનાર સર્વદા સુરક્ષિત છે. નવકારની એ પ્રતિજ્ઞા છે કે – “મારો આશ્રય લેનાર કોઈપણ હોય, તેનાં સર્વ પાપનો મારે સમૂલ નાશ કરવો. આ પ્રતિજ્ઞાને ખોટી પાડનાર આજ સુધી કોઈ નીકળ્યું નથી. એને ખોટી પાડવાનો પ્રયાસ કરનાર પોતે જ ખોટો પડે છે.’ આરાધક યાદ રાખજે (૧) ગુણાનુરાગ અને (૨) સ્વ-દોષ-દર્શન જીવનશુદ્ધિ-રથના બે ચક્રો છે. અદ્-મન ના સંસ્કારોને નબળા પાડવા પંચપરમેષ્ઠીઓની શરણાગતિ સ્વીકારી ભાવ-શુદ્ધિપૂર્વક શ્રી નવકારનો જાપ કરવો. Jain Education International [ ૭૯ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy