SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે દીક્ષા લીધી. તેઓ અધ્યયન કરીને મહત્તર બન્યાં. ત્યારબાદ રાજા વિયસેન ધર્મદાસગણિ મહત્તર, વિજયા રાણી સાધ્વી વિજ્યશ્રી અને સુજ્ય જિનદાસગણિ મહત્તરને નામે ઓળખાયાં. વિજયસેનના પુત્ર રણસિંહને અયા રાણી દ્વારા એનાં માતા-પિતાથી અલગ કરી દેવાયો હતો તે એક ખેડૂતને ત્યાં મોટો થયો. પાર્શ્વનાથની પૂજા કરતાં કરતાં તે અધિષ્ઠાયકની સહાયથી વિજ્યપુરનો રાજા બન્યો અને કનકવતી, કમળાવતી અને રત્નવતી એમ ત્રણ કન્યાઓને ૫૨ણી પોતાના પુત્રપરિવારસહ સુખી જીવન ગાળવા લાગ્યો. કર્મયોગે ક્રમશઃ તે ધર્મવિમુખ બન્યો અને પાપસભર જિંદગી ગુજારવા લાગ્યો. એના અન્યાયોથી પ્રજા ત્રસ્ત બની. બીજી ત૨ફ ધર્મદાસગણિને અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં પોતાના પુત્રની ધર્માભિમુખતા માટે તેમણે પ્રાકૃત ભાષામાં ઉપદેશમાલા’ની રચના કરી રાખી હતી. જિનદાસ મહત્તરને આ ઉપદેશમાલા' કંઠસ્થ હતી. જિનદાસણ અને સાધ્વી વિજ્યશ્રીએ વિજ્યનગરના ઉદ્યાનમાં પધારી રાજા રણસિંહને ન્યાયિક અને ધાર્મિક વૃત્તિવાળો ક૨વા માટે ઉપદેશ આપ્યો. રાજા રણસિંહ આ ‘ઉપદેશમાલા’થી પ્રભાવિત થયો. પોતાના આચરણ અંગે પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને આ ગ્રંથનો મુખપાઠ કરી ધર્મમાં સ્થિર થયો ને શુદ્ધ સમ્યક્ત્વધારી શ્રાવક બન્યો. કેટલાક સમય પછી પોતાની એક રાણી કમળાવતીના પુત્રને રાજ્યસિંહાસને બેસાડી રાજા રણસિંહે આચાર્ય મુનિસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. અને વિશુદ્ધ સંયમની આરાધના કરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. તે પછી રણસિંહના પુત્ર અને એની પ્રજાએ ઉપદેશમાલા'નું પઠનપાઠન ચાલુ રાખ્યું. આમ ધર્મદાસગણિએ પુત્રને પ્રતિબોધિત કરવા માટે ઉપદેશમાલા'ની રચના કરી. ૨. ઉપદેશમાલા’ પર રચાયેલા સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો કહેવાય છે કે ‘કલ્પસૂત્ર' અને ‘તત્ત્વાર્થસૂત્ર'ને બાદ કરતાં ઉપદેશમાલા’ ૫૨ જેટલા ટીકાગ્રંથો રચાયા છે તેટલા કદાચ કોઈ ગ્રંથ પર રચાયા નથી. આ ગ્રંથ ઉપર સંસ્કૃત-પ્રાકૃતમાં ટીકા, વિવરણ, અવસૂરિ, વૃત્તિ, કથા અને ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોની સંખ્યા ઘણી મોટી છે. ઉપદેશમાલા’ ઉપરની સૌ પ્રથમ ટીકા આચાર્ય હિરભદ્રસૂરિની મળે છે. ‘યોગશતક'ની ૪૯મી ગાથામાં એનો ઉલ્લેખ મળે છે. તે પછી સં. ૯૧૩માં શ્રી કૃષ્ણર્ષિશિષ્ય આચાર્ય જયસિંહસૂરિની પ્રાકૃત ટીકા રચાયેલી છે જેનો નિર્દેશ બૃહદ્શપનકમાં મળે છે. પણ સૌથી મહત્ત્વનો ટીકાગ્રંથ પ્રાપ્ત થાય છે સં. ૯૭૪માં આચાર્ય સિદ્ધર્ષિગણિ પાસેથી. એમણે ઉપદેશમાલા' ઉ૫૨ સંસ્કૃત હેયોપાદેય Jain Education International १३ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy