SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ | નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે | આનંદ સાથે આવકાર ઉપદેશમાળા એ ચરણકરણાનુયોગનો સંગ્રહગ્રંથ છે. કહો કે ગ્રંથમણિ છે. પ્રાચીન તો છે જ પણ તેના ઉપર કેટકેટલા સર્જક ગ્રંથકારોની કલમ ફરી છે. અને સાક્ષી પાઠ તરીકે આ ગ્રંથની ગાથા તો સહસાધિક સ્થાનોમાં સાંપડે છે તે જ તે ગ્રંથની જીવંતતાની સાબિતી છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃત વિવરણ સારી સંખ્યામાં મળે છે. સંક્ષિપ્તમાં મળે છે તો વિસ્તારથી પણ મળે છે. કથા વિનાનું વિવરણ મળે છે તો વિસ્તૃત કથા સાથે પણ મળે છે. શ્રી સિદ્ધષિમહારાજ જેવા દિગ્ગજ વિદ્વાન પુરુષ આ ગ્રંથ ઉપર વૃત્તિ રચે તે જ એ ગ્રંથનું મૂલ્ય સમજવા માટે પર્યાપ્ત છે. પછીના તમામ વૃત્તિકારોએ એ સિદ્ધર્ષિમહારાજે રચેલી ચિકાને મૂલટીકા કહી છે. એ છે તો સંક્ષેપમાં પણ તેમાં અર્થનું ગાંભીર્ય છે. એ સંસ્કૃત-પ્રાકૃત પછી ગુજરાતીમાં અવતરિત કરવાનું કામ સર્વ પ્રથમ આચાર્યશ્રી સોમસુંદરસૂરિ મહારાજે કર્યું છે. અને તે ગ્રંથને યથામતિ સંશોધિત-સંપાદિત કરીને આપણા સુધી લઈ આવવાનું સત્કાર્ય શ્રી કાન્તિભાઈ બી. શાહે કર્યું છે. તેઓએ હસ્તલિખિત પ્રત ઉપરથી આ સમગ્ર બાલાવબોધની પ્રતિલિપિ કરી તેના શબ્દોનો પણ અભ્યાસ કર્યો, અર્થો આપ્યા. સાથે બાલાવબોધનો સારાનુવાદ આપી જૂની ગુજરાતી ભાષા નહીં સમજી શકનારા માટે પણ કૃતિના અવબોધની સરળતા કરી આપી. પરિશિષ્ટો પણ બડી મહેનતે તૈયાર કર્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં બાલાવબોધનો ભંડાર છે અને ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy