SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન ૧૯૯૮ના જુલાઈમાં મારા પીએચ.ડી.ના મહાનિબંધ સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદના પ્રકાશનકાર્યમાંથી પરવારીને જરી હળવાશ અનુભવતો હતો ત્યાં જ પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનો પત્ર આવી પડ્યો. તેઓશ્રી લખતા હતા કે હવે તમે તમારા મહાનિબંધના કામમાંથી મુક્ત થયા હો તો ઉપદેશમાલા બાલાવબોધ'ના સંપાદનનું કામ હાથ પર લેવા જેવું છે. પ્રારંભ કરી જ દો.” પત્ર સાથે પ્રસ્તુત ગ્રંથની બે હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પણ એમણે મોકલી આપી હતી. એક લા.દ.ભા. વિદ્યામંદિર, અમદાવાદની અને બીજી કોડાય ભંડારની. બંનેનાં લેખનવર્ષ અનુક્રમે સં૧૪૯૯ અને સં.૧૫ર૭ હતાં. આ ઉપદેશમાલા બાલાવબોધ એટલે આજથી પોણા છસો વર્ષ પહેલાં સં.૧૪૮૫માં તપાગચ્છના શ્રી સોમસુંદરસૂરિએ રચેલી જૂની ગુજરાતીની નોંધપાત્ર ગદ્યકૃતિ. શ્રી ધર્મદાસગણિએ પ્રાકૃતમાં રચેલા ઉપદેશમાલા' ગ્રંથ પરનો ગુજરાતી ભાષાનો આ સૌથી જૂનામાં જૂનો બાલાવબોધ. આ બાલાવબોધ રચાયાના ૧૪ વર્ષ પછીની જ સં.૧૪૯૯ની હસ્તપ્રત સામેથી મારા ખોળામાં આવીને પડી હતી. મારે માટે તો જાણે ઘરઆંગણે ગંગા, ભૂલ્યો, સરસ્વતી વહી આવ્યાં હતાં. મન ઉલ્લસિત બની ગયું. અને ન કેમ બને? પ્રાચીન ગુજરાતીનો અદ્યાપિપર્યત અપ્રગટ રહેલો અતિ મહત્ત્વનો બાલાવબોધ’ સંશોધિત-સંપાદિત થઈને પ્રકાશિત થવામાં નિમિત્ત બનવાનું થતું હોય તો ? પૂ. આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજીની પ્રેરણા અને મારા વડીલ મિત્ર શ્રી જયંત કોઠારીનું માર્ગદર્શન એ બેના સુમેળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy