________________
સુખો નિત્ય નથી, અનિત્ય છે. ભયરહિત નથી, ભયસહિત છે. સ્વાધીન નથી, પરાધીન છે. અનેક પ્રકારના ભયોથી અને ચિંતાઓથી અમે ઘેરાયેલા રહીએ છીએ. અમારું મન અશાન્ત રહે છે. ઉદ્વિગ્ન રહે છે.’
ત્યાગમા સર્વસંગના
દેવલોકના ઇન્દ્રો-દેવેન્દ્રો આપણા માટે કથા-વાર્તાના વિષય
.
બની ગયા છે. છતાંય જો ક્યારેક સ્વપ્નમાં પણ ઇન્દ્ર મળી જાય તો પૂછી લેજો કે ‘હે દેવરાજ, તમે સુખી છો ને ? તમારું મન સદૈવ શાન્ત, પ્રસન્ન અને પ્રફુલ્લ રહે છે ને ? તમારા મનમાં ઇર્ષ્યા, રોષ, રાગ, આસક્તિ... આ બધાં તત્ત્વો અશાન્તિ-ઉદ્વેગ પેદા નથી કરતાં ને ?’ ઇન્દ્રનો પ્રત્યુત્તર શું મળે છે. તે સાંભળજો અને વિચારજો.
ભૌતિક-વૈષયિક સુખસાધનોની વૃત્તિ અને પ્રવૃત્તિથી મુક્ત મહાત્મા પુરુષોને પૂછજો કે એમનું સુખ કેવું છે ! એમના અનુપમ આત્મસુખનું વર્ણન તેઓ શબ્દોમાં નહીં કરી શકે. આત્મસુખની, આત્માનંદની અદ્ભુત અનુભૂતિની અભિવ્યક્તિ શબ્દોમાં કરી શકાતી નથી.
જેમને કોઈ બાહ્ય સુખ મેળવવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખ દૂર કરવાની અભિલાષા નથી, બાહ્ય સુખ-દુ:ખની કલ્પનાઓથી અળગા રહેનારા એ સાધક પુરુષો જે આંતર પ્રશમસુખ અનુભવે છે, એ સુખનો એક અંશ પણ ચક્રવર્તી કે દેવેન્દ્ર માણી શકતા નથી.
જે કોઈ મનુષ્યને પ્રશમસુખનો અનુભવ કરવો હોય તેણે સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત બનવું જ પડે. કોઈપણ સૂક્ષ્મ પણ પ્રવૃત્તિ ન જોઈએ. મનથી એના વિચારો નહીં ક૨વાના, વાણીથી એ અંગે કંઈ બોલવાનું નહીં અને કાયાથી એ વિષયમાં કોઈ વ્યવહાર કરવાનો નહીં. એનું મન ડૂબેલું રહે પ્રશમના સુખમાં ! એની અવિનાશી મસ્તી હોય પ્રશમસુખના સાગરમાં !
વીતરાગ જેવા કહેવાતા અનુત્તર દેવલોકના દેવાંને પણ જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાનું નજીકમાં લાગે છે ત્યારે - ‘મારે મનુષ્ય સ્ત્રીના
૧૬૪ ૦ સંવાદ