________________
અમર કાવ્યના અંગ્રેજી કર્તા
શ્રી નગીનદાસ દીપચંદ શાહ (બી. એ.)
શ્રી રત્નાકર પચ્ચીશીની રચના જ એટલી સુઉંદર છે કે તેની ઉપયેાગિતા સમજી તેમને ગુજરાતી અનુવાદ માસ્તર શામજી હેમચંદ દેસાઈ દ્વારા થયેલ. તેમજ હિન્દીના અનુવાદ પણ થયેલ છે. પરંતુ આજે મેટા શહેરામાં અ'ગ્રેજીના અભ્યાસ પ્રાથમિક ધેારણેાથી જ થવા લાગ્યા છે. તેમને તેમજ વિદેશમાં વસતા આપણા જૈનેાની નવી પેઢીના બાળકોને પણ જૈન ધર્મ તુ આત્મજ્ઞાન આપતી ઉત્તમ કૃતિના લાભ મળે તે માટે મુરબ્બી શ્રી નગીનદાસ દીપચંદ શાહે સજન હિતાય અંગ્રેજીમાં કાવ્યમય રચના કરેલ છે. જે સર્વને ઉપયાગી બનશે તેવી શ્રદ્ધા છે.
અંગ્રેજીના રચયિતા શ્રી નગીનદાસભાઈ મહુવાના વતની હાઈ મહુવામાં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ ભાવનગરની કૅાલેજમાં ખી. એ. કરેલ. તેએ જૂના ભાવનગર રાજ્યમાં અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ ખાદ ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગમાં મામલતદાર તરીકે ૩૦ વર્ષ સેવા આપી નિવૃત્ત થઈ હાલમાં આપણા પાલીતાણાના શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુળમાં ગૃહપતિ તરીકે સેવા બજાવી રહેલ છે.
શ્રી નગીનભાઈ એ અગ્રેજીમાં શ્રી રત્નાકર પચ્ચીશી ઉપરાંત શ્રી કલ્યાણ મંદિર, શ્રી ભક્તામર સ્તાત્રના અંગ્રેજીમાં કાવ્યાનુવાદ કરેલ છે. તેમજ આગળ નવેસ્મરણેાની અંગ્રેજી કાવ્યમય રચના કરી સમાજને અપવા ઇચ્છે છે. તે સાહિત્ય રસિક હાઈ મીજી પણ રચનાએ તૈયાર કરી રહેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org