SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ઇન્દ્રિય તથા પ્રાણ %Awww. ક [ ૧. સ્પર્શેન્દ્રિય ઃ એનું સ્થાન દેહાકારે સર્વ શરીર છે. દેહના ઉપરના અને અંદરના ભાગમાં સ્પર્શેન્દ્રિયના પુગલ પ્રદેશયુક્ત આત્મ પ્રદેશો સાથે વ્યાપ્ત છે. તેથી શીતળ જળ પીવાથી અંદરના ભાગમાં અનુભવ થાય છે. આ ઇન્દ્રિય અબરખના જેવા પડવાળી છે. તે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જાડી છે. તેથી અંદર અને બહારનું પડ એકજ છે. સ્પર્શેન્દ્રિયનો વિષય પદાર્થના આઠ પ્રકારના સ્પર્શોને જાણવાનો છે. w wwww.e0 wsex w [ ૨. રસનેન્દ્રિય : મુખની અંદર દેખાતી જિદ્દામાં ઉપર નીચેના ભાગમાં રસનેન્દ્રિયના પરમાણુઓનું એક જ પડ આવેલું છે. તેના વડે જીભ પદાર્થોના રસનો અનુભવ કરી શકે છે. બાહ્ય જીભ વડે અનુભવ થતો નથી. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઘાસ ઉખેડવાની ખૂરપીના આકારની અત્યંતર રચના તે રસનેન્દ્રિય ચક્ષુ ગોચર નથી. તેના દ્વારા જીવ પાંચ પ્રકારના રસનો અનુભવ કરે છે. w 00000000000ooooooooooooooooooooooooooooo099 ww. [ ૩. ધ્રાણેન્દ્રિય દેખાતી નાસિકાના પોલાણમાં ઉપર પ્રમાણેની અંગુલના $ અસંખ્યાતમાના ભાગ જેવી લાંબી પહોળી નાસિકાની અંદરના ભાગમાં પડઘમના આકારવાળી અત્યંતર રચના તે ધ્રાણેન્દ્રિય, તે ચક્ષુઅગોચર છે. તેના દ્વારા જીવ બે પ્રકારની ગંધનો અનુભવ કરે 9999999990%%80%%80%90% [ ૪. ચક્ષજિય: ધ્રાણેન્દ્રિયની જેવા પ્રમાણવાળી આંખની કીકીમાં રહેલી ચંદ્ર આકૃતિવાળી અત્યંતર રચના તે ચક્ષુઇન્દ્રિય છે. તે દ્વારા જીવ પાંચ પ્રકારના વર્ણનો અનુભવ કરે છે. [ ૫. શ્રોત્રેન્દ્રિય : ચક્ષુઈન્દ્રિયના પ્રમાણવાળી, કર્ણપટિકાના છિદ્રમાં રહેલી અને કદંબપુષ્યના આકારવાળી, અત્યંતર રચના તે શ્રોત્રેન્દ્રિય છે. ચક્ષુઅગોચર છે. તે દ્વારા જીવ ત્રણ પ્રકારના શબ્દનો બોધ પામે આ પાંચે ઇન્દ્રિયો અત્યંતર રચનાવાળી હોવાથી અત્યંતર નિવૃત્તિ કહેવાય છે. તે વિષયનો બોધ કરે છે. અને આપણે ચા દ્વારા જોઈ શકીએ છીએ તે ઈન્દ્રિયો જિહવાદિ ચાર બાહ્ય રચના હોવાથી બાહ્ય નિવૃત્તિ કહેવાય છે. તે વિષય બોધ કરી શકે નહિ માત્ર તે બાહ્ય ઇન્દ્રિયો તે તે અત્યંતર ઈન્દ્રિયોનું બાહ્યસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy