SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંતર તપના છ પ્રકાર છે. આ અંતરંગ તપ છે. પ્રાયઃ બાહ્યદૃષ્ટિએ દેખાય તેવું નથી. પણ આત્માના પરિણામને વિશુદ્ધ કરે છે. ૧. પ્રાયશ્ચિત ૨. વિનય ૩. વૈયાવૃત્ત્વ ૪. સ્વાધ્યાય ૫. ૬. * નિર્જરા તત્ત્વના છ અત્યંતર તપ મોક્ષમાર્ગનાં સાધનો છે. તેની રક્ષા માટે છ બાહ્ય તપ છે. મુખ્યત્વે ઇચ્છાનો નાશ થવો અને વીતરાગભાવ પ્રગટ થવો તે મોક્ષ માર્ગ છે. * * : થયેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો અને પ્રાયશ્ચિત્ત કરવું. : ગુરુજનો અને વડીલોના વચનો માન્ય કરવા. : ગુરુજનો, વડીલો અને તપસ્વી આદિની સેવા કરવી. · સત્શાસ્ત્રો અને આગમોનો અભ્યાસ કરવો. ધ્યાન : કોઈ શુદ્ધ વિષયનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવું. કાયોત્સર્ગ • કાયાને પાપવ્યાપારથી રોકવી. દેહભાવની ત્યાગ કરવો. કાયકલેશ, સંલીનતા, કાયાની શુદ્ધિ અને સંયમ માટેના છે. પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્ય આ ત્રણ તપ મનશુદ્ધિના છે. સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, આત્મશુદ્ધિના તપ છે. આ પ્રકારના તપ દ્વારા કર્મોનો અંશે અંશે નાશ થઈ જીવ મુક્તિને સાધે છે. * અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ, આ ચાર પ્રકાર આહાર શુદ્ધિ માટે છે. હું જીવ છું, સુખ મને પ્રિય છે. દુઃખ લેશ પણ ગમતું નથી. એમ માા જેવા બીજા અનંતા જીવો સંસારમાં છે. એ પણ જીવવા ઇચ્છે છે. સુખના અર્થી છે. દુઃખ લેશ પણ ગમતું નથી. તે સર્વ જીવો સુખ પામો દુઃખથી મુક્ત થાવ. Jain Education International ૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy