SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 4000 પાઠ : ૨ નવતત્વનો પ્રથમ વિચાર - વિવેક 000000000000000000000000 નવતત્ત્વની શ્રદ્ધા માટે વિવેકના ત્રણ પ્રકાર છેઃ ૧. શેય, ૨. ઉપાદેય, ૩. હેય. 0000000૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 0 નામ વ્યાખ્યા તવ. શેય જાણવા યોગ્ય જીવ - અજીવ આદરવા યોગ્ય પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ. ઉપાદેય હેય ત્યાગ કરવા યોગ્ય પાપ, આશ્રવ, બંધ. %80%90%%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦990999999;&####### જa 088 ###00000%Booooos 800000000000000 વિશેષ નોંધઃ પુણ્ય આત્માની શક્તિ કે ગુણ નથી. શુભપ્રવૃત્તિના નિમિત્તે ઉપજતા શુભભાવનું પરિણામ પુણ્ય છે: તે શુભ આશ્રવ છે. અને આશ્રવ માત્ર ત્યાગવા યોગ્ય છે. તો પછી પુણ્ય ઉપાદેય શા માટે? નિશ્ચયનયથી તો પુણ્ય ત્યાગવાયોગ્ય હેય છે. પરંતુ ધર્મમાર્ગમાં ઉપયોગી માનવદેહ અને અન્ય સંયોગો પુણ્યના નિમિત્તે મળે છે. વળી અશુભ ભાવથી દૂર રહેવા પ્રથમ શુભભાવ હોય છે. તેથી કેવળ તે ભોમિયારૂપ છે. માર્ગ મળ્યા પછી તેની ઉપયોગિતા તું ન હોય ત્યારે તે સ્વયં દૂર થઈ જાય છે. પુણ્ય મોક્ષનું સાધન કે સાધ્ય નથી. મોક્ષનું સાધન શુદ્ધ ઉપયોગ છે. તેની પ્રથમની ભૂમિકા કથંચિત શુભભાવ છે. સંવર, નિર્જરા શુભ અધ્યવસાય છે. પરંતુ તે કર્મોને અટકાવવાના અને નિર્જરવાના તત્ત્વો હોવાથી તે આત્મશક્તિરૂપ છે; તેથી તે જીવના પ્રકાર ગણાય છે. જગતમાં મુખ્ય તત્ત્વ તો બે છે, ૧. જીવ અને ૨. અજીવ. તેનો વિસ્તાર એટલે શું નવતત્વ. જીવમાં ગણાતાં તત્ત્વો ચાર છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવમાં ગણાતા તત્ત્વો પાંચ છે. અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. જુઓ પુણ્યતત્ત્વને અજીવના ખાતામાં મૂક્યું કારણ કે તે જીવનો ભાવ નથી; પણ શુભાશ્રવ છે. e boooooooooo%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy