SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૪૦ ૫ આયુષ્યકર્મ ooooo૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ewerwovem૦ 8000000000000000000000000000661%69%69%65%6000000000000000000000000000000000 આયુષ્યકર્મ : ચાર પ્રકારે છે. જન્મ મરણ વચ્ચેનો કાળ તે આયુષ્ય છે. તે કર્મના [ ઉદયથી જીવ ચાર ગતિમાંથી કોઈ એક ગતિમાં રહે છે. આયુષ્યના ચાર ભેદ. નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાય અને દેવાયુ. - ઉપમા જેલમાં રહેલા કેદીની સજા જેવું છે. સજા પૂરી થયા પહેલા છૂટી ન શકે, તેમ જે ગતિમાં જેટલો કાળ રહેવાનું હોય તેટલો સમય પૂરો કરવો પડે. વહેલા છૂટીને બીજી ગતિમાં જવું હોય તો પણ ન જવાય. કોઈ ગતિમાં ગમી જાય તો પણ આયુષ્ય પૂર્ણ થયા પછી વધુ રહી ન શકાય. %e0% a પુગલ સમુહની સહાય વડે જીવ જીવે છે, તેથી આયુષ્ય પણ પુગલરૂપ છે. તેલ વિના જેમ દિપક બળી શકતો નથી, તેમ આયુષ્યના પુદ્ગલો વિના જીવ દેહમાં જીવી શકતો નથી. આ આયુષ્યના બે ભેદ છે. %ae%e0%e0ooooooooooooceeeeeoooooooooooooooootweensessages 200000000 ૧. અપવર્તનીય, ૨. અનપવર્તનીય Reserve અપવર્તનીય : જીવે આયુષ્યની સ્થિતિ પૂર્વજન્મમાં એવી શિથિલ બાંધી હોય કે આયુષ્યનો કાળ પૂરો કર્યા વિના શસ્ત્રાદિક વડે, અકસ્માતથી અધૂરે આયુષ્ય મરણ પામે અર્થાત્ કાળ ટૂંકો થાય પણ પુગલોનો સમુહ તેટલા સમયમાં પૂર્ણ ક્ષય થયા બાદ મરણ પામે. આયુષ્યનો બંધ એવા પ્રકારનો હોય. જેમ ૧૦ ફૂટ લાંબી દોરડી છેડેથી સળગાવીએ તો તે ઘણા કાળે બળે. પણ તેનું ગૂંચળુ વાળીએ તો તે શીધ્ર બળે તેમ પુદ્ગલો સમયે સમયે ક્રમથી નાશ પામે તો લાંબો કાળ જાય, પણ પુદ્ગલોનો વધુ ક્ષય થવા માંડે તો સર્વ પુદ્ગલોનો ક્ષય થોડા સમયમાં, અંતરમુહૂર્તમાં પણ થઈ જાય. સોપક્રમ - સ-સહિત – ઉપક્રમ = બાહ્ય નિમિત્ત = સોપક્રમ. અર્થાત શસ્ત્રાદિ અદિ બાહ્ય નિમિત્તથી આયુષ્યના દલિકો ક્ષય થાય. આયુષ્યનો બંધ તેવા પ્રકારનો હોય. તેથી આયુષ્ય અકાળે પૂરું થયું એમ જણાય. doooooooooooooooAsswobbe% e0%aa%a e % અનપવર્તનીય : જીવે પૂર્વે આયુષ્યની સ્થિતિ દઢપણે બાંધી હોય તે સમયના રસાદિ તીવ્રભાવવાળા હોય. જેથી શસ્ત્રાદિકના નિમિત્તથી આઘાત થવા છતાં આયુષ્ય પૂર્ણ કરીને જ મરે. તે સોપક્રમ અને નિરૂપક્રમ બે પ્રકારનું હોય છે. બાહ્ય નિમિત્તથી આયુષ્ય પૂર્ણ થાય તે અનાવર્તનીય છતાં સોપક્રમ હોય અને જેમાં બાહ્ય નિમિત્ત ન હોય તે જીવનું આયુષ્ય નિરૂપક્રમ અનપવર્તનીય છે. e0%%be% ચ્છા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy