SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી સ્થપાયેલ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય-ટ્રસ્ટના ઉપક્રમે, ‘સેતુબંધ’ નામના ગ્રંથનું પ્રકાશન કરતાં અનહદ આનંદ અનુભવીએ છીએ. અમારા ટ્રસ્ટના આશ્રયે હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક-પ્રદાન, વિવિધ સાહિત્યિક સંગોષ્ઠીઓનું આયોજન, શિષ્યવૃત્તિ-પ્રદાન સાથે ગ્રંથપ્રકાશનની શુભ પ્રવૃત્તિ પણ વર્ષોથી ચાલી રહી છે. આ બધાં કાર્યોમાં આ. શ્રીવિજયશીલચન્દ્રસૂરિજીનું ટ્રસ્ટને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. સદ્ગત ડૉ. હરિવલ્લભ ભાયાણી સાહેબ આપણા મૂર્ધન્ય વિદ્વાન, ભાષાશાસ્ત્રી તથા સંશોધનક્ષેત્રના દિગ્ગજ પંડિત હતા. તેઓની હૂંફ તથા દોરવણી અમારા ટ્રસ્ટને, તેઓ રહ્યા ત્યાં સુધી સતત મળતી રહેલી. ઉપરાંત, તેમનાં પાંચેક પુસ્તકોના પ્રકાશનનો લાભ પણ આ ટ્રસ્ટને મળ્યો હતો, જે અમારા માટે ગૌરવની બાબત છે. તેથીયે વિશેષ ગૌરવ તથા આનંદની વાત એ છે કે આજે તેઓના તેમજ તેમના પરમ મિત્ર અને ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રીમકરંદભાઈ દવેના પત્રવ્યવહારનો આ ગ્રંથ પ્રકાશિત કરવાની તક અમારા ટ્રસ્ટને મળી રહી છે. અમને શ્રદ્ધા છે કે આ પ્રકાશન, અમારા ટ્રસ્ટની પ્રકાશન પ્રવૃત્તિનું એક નવતર સીમાચિહ્ન બની રહેશે. આવા સાહિત્યિક પ્રકાશનની તક અમને આપવા બદલ અમો ઉપરોક્ત બન્ને સાક્ષરવર્યોનો તેમજ આ ગ્રંથના સંપાદક આચાર્યશ્રી શીલચન્દ્રસૂરિજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી તેઓ સર્વેને વિનંતી છે કે આવાં પ્રકાશનોનો લાભ પુનઃપુનઃ અમને આપ્યા કરજો. Jain Education International લિ. ટ્રસ્ટીગણ, ક.સ. શ્રીહેમચન્દ્રાચાર્યનિધિ અમદાવાદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy