________________
(૧૨)
૧૬ જુલાઈ '૮૮
અમદાવાદ મકરન્દભાઈ
પત્ર, કાર્યક્રમની માહિતી, ભાવભીનું નોતરું મળી ગયાં. ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયા છે, છતાં વાહન માટે કોઈ ભારે મુશ્કેલી જો નહીં હોય અને નીકળીએ ત્યારે જોરદાર વરસાદ નહીં હોય તો અમે અહીંથી ૧૨મી તારીખે બપોરે નીકળીશું. હસુભાઈ પણ તમને લખવાના છે. સારાં કામ આડે વિનો હોય છે. તોયે આમાં એ નહીં નડે એવી શ્રદ્ધા છે, અને ભજનોત્સવના ભાવકવૃંદમાં અમે પણ ભળશું. કુંદનિકાબહેન અને તમે સૌ તૈયારીમાં વ્યસ્ત હશો.
ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org