________________
પરિશિષ્ટ-૮ (સંદર્ભઃ પત્ર ૧૧૦)
સંમાન વક્તવ્ય
૩૦-પ-૯૭ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મેઘાણી શતાબ્દી નિમિત્તે સારસ્વત સન્માનના અનુક્રમે નંદિગ્રામ ખાતે તા. ૩૦-૫-૧૯૯૭ના રોજ થયેલ શ્રી મકરન્દ દવેના સન્માન પ્રસંગે મકરન્દભાઈનું વક્તવ્ય.
* * *
આપ્તજનો અને સહૃદયી મિત્રો,
આજે અહીં જે આપ્તજનોનાં વચનો સાંભળ્યાં, મિત્રોની વાણી સાંભળી ત્યારે મને એક વિચાર આવે છે કે ઘણી બધી વસ્તુઓમાં એમ કહેવાય કે અતિશયોક્તિ કરવામાં આવી છે. આ અતિશયોક્તિ છે એમ મને લાગે, તો મને એમ પણ થયું કે પ્રેમનું જે ક્ષેત્ર છે તે અતિશયોક્તિથી પર છે, ને ભાવનું જે ક્ષેત્ર છે તેમાં અતિશયોક્તિ છે જ નહીં- હોય જ નહીં. આજે ભાવના જે ક્ષેત્રમાંપ્રેમના જે ક્ષેત્રમાં પ્રેમગુચ્છો મને મળ્યા છે તેને માથે ચડાવું છું અત્યંત પ્રેમથી... આદરથી...
એની સાથે સાથે આજે જે વ્યક્તિનું નામ જોડાયું છે, મેઘાણીભાઈનું નામ, આ સમારંભ માટે, આ સન્માન માટે, એ નામ સાથે મને જે વસ્તુ મળે છે, એ તો મારે મન પ્રસાદી છે, અમૃતની પ્રસાદી; એને શિરે ચડાવું છું.
આજે મારે તમને ચમત્કારની વાત કરવી છે. કહ્યું ને- આધ્યાત્મિક જગતનો માણસ છું, આધ્યાત્મિક છું. આત્માની વાતો કરું છું, લોક-પરલોકની વાતો કરું છું. આજે પરલોકમાં આ લોકની વાત કરવા માગું છું. અભુત ચમત્કાર... અસાધારણ ચમત્કાર... તમે સૌ માની શકો એવો ચમત્કાર... મને મેઘાણી રોજ મળે છે, અવારનવાર મળું છું. અને એ કેવી રીતે મળે છે એની પણ વાત કરું. ખુલાસો તો કરવો જોઈએ. કેમ મળે છે, કેમ વાત કરું છું..
એક વાર એક વ્યક્તિએ રામકૃષ્ણનો ફોટો જોયો, પછી વિવેકાનંદનો ફોટો જોયો. પહેલાં રામકૃષ્ણ સામે જોયું, પછી વિવેકાનંદ સામે જોયા કર્યું. પછી ૨૬૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org