________________
કેટલીક સર્જક–પ્રતિભા અને સર્જન-પ્રક્રિયા વિષે મેં વાતો કરી હતી. ખાસ તો પોતાની અંગત પીડા અને પરેશાનીને દૂર રાખી, અત્યંત કરુણ પરિસ્થિતિને પચાવી જે સર્જન કરી શકે એનું પોત બતાવવા- દૃષ્ટાંત સાથે– પ્રયત્ન કર્યો હતો. અને આજે સામાન્ય સર્જકોમાં જે અન્ય મહત્તા (Self-importance) અને આત્મ-મૌધ્ધ (Self indulgence) જોવા મળે છે તેની સામે લાલ બત્તી ધરી હતી. જે રકમ મને મળી એ એજ વખતે નિરંજનને એના કાર્ય માટે મેં આપી. દીધી. એક સ્થળે ટહેલ નાખીને વધુ રકમ જોગવી છે. મોટા અક્ષર કર્યા છે. વળી ઉતાવળે લખ્યું છે એટલે અક્ષરની સાથે લેખન પણ ઢંગધડા વગરનું લાગશે. મારે માટે નંદિગ્રામ છોડીને ક્યાંયે જવાનો સવાલ નથી એટલે નચિંત રહેશો.
ચન્દ્રકળાબહેનને વંદન. ઉત્પલનો માળો કલ્લોલતો હશે. દાદાજી પર દીકરીની દાદાગીરી ચાલતી હશે.
મકરન્દ્ર
૧. પરિશિષ્ટમાં જુઓ.
સેતુબંધ
૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org