SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ નાનં—િપાઈ | પgિ 7 હે મf ઑડિમાવા રૂદ્દા (હિન્દી કાવ્યધારારાહુલ સાંકૃત્યાયન, પા.૧પર) એટલે કાન્હપ્પા અને કાનીફના ગુરુ એક લાગે છે. એક ગોરખનાથ સિવાય મત્યેન્દ્ર અને કાનીફનું નામ શૈવ તેમ જ બૌદ્ધ સિદ્ધોમાં સ્થાન પામ્યું છે. “ચર્યાગીતિકોશ” (પાનું ૩૦) પદ સંખ્યા ૯ માં કડી (૨) નીચે મુજબ છે : जिम जिम करिणा करिणिरे रिसअ । तिम तिम तथता मअगल वरिसअ ॥२॥ આની સંસ્કૃત છાયા મુનિદત્તે નીચે મુજબ આપી છે : यथा यथा करी करिणी करिण्यै वा ईर्ध्यति । तथा तथा तथतां मदकलः वर्षति ॥२॥ અને તેની ટીકામાં વિખ્યામીષ્યમવું વતિ લખ્યું છે– આ ‘ઈર્ષામદ એટલે શું એવો સવાલ મનમાં થાય છે. એ જ પદમાં કડી ૩ આમ છે : छढगइ सअल सहावे सूध । भावाभाव वलाग न छुध ।।३।। જેની સંસ્કૃત છાયા નીચે મુજબ આપી છે : षड्गतयः सकलाः स्वभावे शुद्धाः । भावाभावौ वालाग्रं नाशुद्धौ ॥३॥ - અહીં સૂધ એટલે Purity શુદ્ધ = નિર્મળ, શુચિતા એટલું જ કહેવાનું હોય તેમ લાગતું નથી – નિર્મળતા, શુચિતા તો સાધનાની પ્રાથમિક તબક્કાની પાયારૂપ ભૂમિકા છે. અહીં મૂધ એ Awareness ના અર્થમાં લેવાથી કડીનો અર્થ વધારે ખૂલતો જણાય છે. સૂધબુધ, સાનભાન, એમ લઈએ તો અહીં Complete awareness નો નિર્દેશ જોઈ શકાય છે. યોગી જ્યારે સરાવે – સ્વભાવમાં રમમાણ હોય છે ત્યારે પગતિએ – ટીકામાં આપ્યું છે તેમ અંડજા, જરાયા વગેરે યોનિઓમાં ગતિ એમ નહીં પણ જેને ષડરિપુ તરીકે ઓળખીએ છીએ તેવી મનની છ નિમ્નગતિઓ– તેને સ્પર્શી શકતી નથી. ઉપરાંત આ ૧૪૨ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy