SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દા શાહ ક્યાંથી ધન મેળવ્યું છે તે શોધી કાઢવું જોઈએ. એવો પુરાવો પ્રાપ્ત કર્યા વગર આપ શ્રીમાન અને દેષિત કેમ ગણી શકે ? દેદા શાહે કહ્યું દેદા શાહના આ શબ્દો પર મહામંત્રી અને નગરપાલ પ્રભાવિત બની ગયા. થોડી પળો વિચારીને રાજાએ કહ્યું : “દેદ શાહ, તારી કબૂલાત એ કંઈ નાને સૂને પુરા નથી, તેં વચન બદ્ધતાને પહદે રાખીને મારી સમક્ષ કારણ છૂપાવ્યું છે...હું હજી પણ તારી જુવાની સામે નજર કરીને કહું છું કે તું જે હોય તે ખુલ્લું કૃપાનાથ, જે હું કહી શકતો હેત તે મેં કોઈપણ પ્રકારને પડદો રાખ્યા વગર સવારે જ સઘળું કહ્યું હત, હું પ્રાણું કરતાં પણું વચન આપ્યાની અને તેને પાળવાની કીંમત અધિક સમજું છું. મારા આટલા ખુલાસા પછી પણ આપને જે યોગ્ય લાગે તે નિર્ણય લઈ શકે છે.” રાજા જરા ક્રોધિત બની ગયે, તે બોલ્યો : “નગરપાલ, આ દેદા શાહને કારાગારમાં પૂરી દે. બે દિવસ પછી સોમવારે રાજસભામાં એને હાજર કરજે, એ વખતે એને ફેંસલ કરવામાં આવશે? નગરપાલ ઊભો થયો. દેદા શાહે મહારાજા અને મહામંત્રીને નમસ્કાર કર્યા. તેના ચહેરા પર કઈ પ્રકારનો ભય કે નિરાશા હતાં જ નહિ નગરપાલ દેદાશાહને લઈને ખંડ બહાર નીકળી ગયો. મહામંત્રીએ કહ્યું: “મહારાજ, આ પ્રશ્ન એ છે કે આપે જરાય ઉતાવળ ન કરતાં ન્યાયને વિશુદ્ધ રાખવો જોઈએ. દેદા શાહની હકીકત પાછળ મને સત્યનો રણકાર દેખાય છે. મને લાગે છે કે દેદા શાહ આપણ ન્યાય પંડિતને પણ સંશયમાં મૂકી શકશે.” “સેમવારે જે હશે તે જણાઈ આવશે.” કહી સબ ઊભે . મહામંત્રી પણ ઊઠીને ખંઠ બહાર નીકળ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy