SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ દેદા શાહ દેદ શાહને ચાર મહિનાને પ્રવાસ હતું. જેમાં નાના મોટા ઘણા તીર્થો આવી જતાં હતાં. માંડવગઢ, આબુ, તારંગાજી, શંખેશ્વરતીર્થ, શ્રી. સિદ્ધગિરિજી, શ્રી. ગિરનારજી, શ્રો. પ્રભાસતીર્થ વગેરે સર્વોત્તમ તીર્થોને સ્પર્શવાની ગણતરી રાખી હતી. દેદા શાહ જ્યાં જતા ત્યાં ત્યાં વિવિધ પ્રકારનાં સાત્વિક દાન આપવાનું ચૂકતા નહિ અને સિદ્ધગિરિ, ગિરનારજી આદિ તીર્થોમાં તેઓએ સંધ જમણ પણ કર્યા હતા. એટલું જ નહિ પરંતુ ત્યાં વસતી ગરીબ જનતાને અને વસ્ત્ર વગેરે પણ આપતા હતા. માગશર સુદ બીજના શુભ દિવસે કરેલું પ્રસ્થાન માર્ગમાં કઈ પણ પ્રકારના વિતરૂપ ન નીવડયું. જ્યાં પુણ્ય હોય ત્યાં વિપત્તિ ટકતી નથી. ચાર મહિનાના પ્રવ સ સાડાચાર મહિને પૂરો થયો. દેદા શાહે જેને બહેન કરી છે, તે નાગિની દેવીને આ યાત્રામાં ઘણું જાણવા જેવું મળ્યું હતું. તેનું જીવન તે પલટો લઈ ચૂકયું હતું પણ હવે તેના આત્માને પણ પોતાનું ભૂતપૂર્વ પાપમય જીવન ડંખ્યા કરતું હતું. જ્યાં પોતાના દૂષણ ડંખે ત્યાં પશ્ચાતાપની પાવક જવાળા આપોઆપ પ્રગટે છે. આઠ દસ દિવસ પર્યત નાગિની દેવી દેદ શાહને ત્યાં રોકાઈ અને ત્યાર પછી તે નાંદુરી જવા વિદાય થઈ. દેદા શાહે સાડા ચાર મહિનાના આ પ્રવાસમાં લગભગ બે લાખ સેવૈયા શુભ કાર્ય માં વાપર્યા હતા, અને નગરીમાં આવ્યા પછી પણ યાત્રાના કળશરૂ૫ નવકારશી જમાડી હતી. બીજા બે વરસ વીતી ગયાં. પેથડકુમાર વીસ વર્ષનાં પગથિયે ઊભો રહ્યો. સુંદર, સ્વસ્થ, સુરૂપ અને તેજસ્વી નવજવાન પેથડ, જોનારનાં નયને ઠારતો હતો એટલું જ નહિ પણ નવજવાન સ્ત્રીઓ પેથડને જોઈ રહેતી. પરંતુ પેથડનાં નયને નિર્મળ હતાં. તે કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy