SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દેદા શાહ મમતાના બંધનની તમામ ગ્રંથીઓ તેડીને તેઓ ચાલ્યાં ગયાં. હા ચાલ્યાં ગયાં... ! પાડ પાડોશીઓને ભેળાં કરી દેદા શાહે માસીબાના અંતિમ સંસ્કાર કર્યા. પાંચ પંદર દિવસ કંઈક મનદુઃખ વચ્ચે વિદાય થયા. અને દેદાશેઠે હાટડી સંભાળી. દિવસે વિતવા માંડયા. ઘરમાં માત્ર બે જ માણસો હતા. માસીબાના આત્મ કલ્યાણ નિમિત્ત બંનેએ એક વીસ આયંબિલનું તપ કર્યું. પરંતુ હાટડીમાં ખાસ કંઈ વૃદ્ધિ ન થઈ. માંડ માંડ રોટલે. રળી શકાતો હતો. જે માલ માટે રોકી શકાય એવું ધન હોત તે. જરૂર આ યૌવનકાળે કંઈક સંચય કરી શકાય અથવા સરખી રીતે જીવવાને પુરુષાર્થ આચરી શકાત. આમને આમ દેદાશા ને વિમલશ્રીના લગ્ન પર નવા વર્ષના વહાણાં વાઈ ગયાં. કંઈક ધંધો ખેડવાની ધગશના લીધે દેદાશાહે ડું દેણું કરીને હાટડીને વધારી...પણ વધાર્યું કાંઈ વધતું નથી...ભાગ્યને એથ હોય તે અણધાયું’ વધી શકે છે. આમ હોવા છતાં માનવીએ પ્રમાણિકપણે પુરુષાર્થ કરવા જ જોઈએ કારણ કે ભાગ્યને પલટાવવા માટે ધર્મ અને વિશુદ્ધ પુરુષાર્થ કરે જ કારગત નીવડે છે. દેદાશાહને ત્રીસમું વર્ષ બેઠું, વિમલથી છવીસ વર્ષની જાજરમાન નારી બની. દસદસ વર્ષના પરણેતર પછી પણ ઘડિયું બંધાયું નહોતું. પાડ પાડોશીઓને થયા કરતું કે હજી સુધી પારણું કાં ન બંધાયું ? પણ બંને માણસે એ માટે કદી બળાપો કરતા નહતા. તેઓ માનતા હતા કે અર્થ અને કામ એ ભાગ્યથી ફળે છે. ધર્મ અને મેક્ષ એ પુરૂષાર્થથી મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy