SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ અને ૧ પરબિડી જ બી રાખે છે, ૧૮૬ દેદા શાહ દેદા શાહે તરત આંકડા પ્રમાણે સોનૈયા ચૂકવી આપ્યા. કૃષ્ણવલ્લભે આંકડામાં ચૂકતેની પહોંચ કરી અને કેશરની પચાસ પિઠો દેવગિરિ પહોંચતી કરવાની છે તેવું લખાણ પણ કરી આપ્યું ત્યાર પછી કેટલીક વાતો કરીને કૃષ્ણવલ્લભ ઊભું થયું અને બેલ્યો : “આજ વહેલી સવારે પચાસ પિઠ મારો મુનીમ લઈ ને રવાના થઈ જશે.” “ઉત્તમ. મેં પત્ર તૈયાર કરી રાખે છે.” કહી ગાદી નીચેથી એક પત્રવાળુ પરબિડીયું કાઢીને દેદા શાહે કૃષ્ણવલ્લભને આપ્યું અને કહ્યું : “તે તું, તારી પત્ની, મુનીમ વગેરે સહુ આવતી કાલે મારે ત્યાં ભેજન રાખો.” શેઠજી, અમે આવતી કાલે પાછલા પ્રહરે ઉજજયની તરફ વિદાય થશું એટલે એની તૈયારીમાં મારે રોકાઈ જવું પડશે. અને આપે તે મને જિંદગીભર હું યાદ કરું એ રીતે આ સોદો કરીને જમાડી દીધો છે.” દેદા શેઠે ઘણે આગ્રહ કર્યો. છેવટે ભાતારૂપે થોડી મીઠાઈ આવતી કાલે તે મોકલશે એમ નક્કી કર્યું. કૃષ્ણવલ્લભ સાથે બે ચેકિયાત આવ્યા હતા. તેને રથ પણ બહાર શરીરમાં રાખ્યો હતો. સોનૈયાની થેલીઓ ઉપડાવીને કૃષ્ણવલ્લભ દેદા શાહનાં ચરણસ્પર્શ કરીને વિદાય થયો. દેદ શાહ ડેલી સુધી વળાવવા ગયા. - તેઓ પાછા આવ્યા અને ઓસરીની પાટ પર બેસી નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યા. - “વિમલશ્રીએ ઓરડામાં બેઠાં બેઠાં કહ્યું : હવે આપ આરામ કરે. શેઠે કંઈ ઉત્તર ન આપ્યો એટલે શેઠાણી સમજી ગયા કે નવકાર ગણે છે. થોડી વાર પછી દેદા શાહ ઓરડે ગયા. પત્ની હજી જાગતી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy