SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સકાર...! જ એ ફળ હતું. પણ મને એ વાતનું કઈ દુઃખ નથી કે કોઈ સ્મરણ પણ નથી. આપત્તિ, વિપત્તિ, સુખ કે વેદના આ બધું સંસારમાં રહેલાઓ માટે સહજ હોય છે. જ્ઞાની પુરુષોએ સંસારને ત્યાગ બહુ સમજી વિચારીને જ કર્યો છે. એ વાત જરાયે ખોટી નથી.” “ આપની વાત સાચી છે.' રાજાએ કહ્યું : “આ સંસારમાં સત્તા, સમૃદ્ધિ, વૈભવ વગેરે મળવા છતાં કંઈને કંઈ વેદના ઊભી થતી જ હોય છે. આપને વ્યવસાય તે બરાબર ચાલે છે ને?” “ હા કૃપાનાથ, મને કઈ વાતને અસંતોષ નથી.” મેં સાંભળ્યું છે કે આપ દાનવીર છેઉદાર દિલ છે...” વચ્ચે જ બે હાથ જોડીને દેદા શાહે કહ્યું : “કૃપાનાથ, ઉદારતા કે દાનવીરપણું તે દૂર રહ્યું. હું માત્ર એટલું સમજ્યો છું કે દાન એ ત્યાગના માર્ગે જઈ શકાય એવું એક વાહન છે..અને જે આપણું નથી એને વળગી રહીને શું કરવું ? સંસારમાં અમે બે જ માણસે છીએ. પુણ્યમે અમારી જરૂરિયાત કરતાં અમને વધુ પ્રાપ્ત થયું છે. વધારાને અમારે શું કરવું ? કોઈ ને કોઈ ઉપયોગમાં આવે એ ભાવનાએ આપી દઈએ છીએ.' વાતો નીકળે ત્યારે તેને છેડે સહજમાં આવતું નથી. એક બીજા પ્રહરના અંત સમયે સહુએ સાથે ભોજન કર્યું. રાજા દેદા શાહના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત બન્યો અને રાણી પણ વિમલજીના સ્વભાવથી ખૂબ જ હર્ષિત બની. - વિદાય આપતી વખતે રાજાએ એક મોતીની માળા દેદા શાહને પહેરાવી અને મહારાણીએ વિમલશ્રીને વજ નીલમનાં જડતરવાળાં વલય પહેરાવ્યાં. રાજારાણીને નમન કરીને પતિ પત્ની વિદાય થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy