SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સત્કાર! કુળ, ગુણ અને શ્રદ્ધાની ખાતરી કરીને મૂકી શકે છે અથવા કાઈ કાર્યવાહક અંધશ્રદ્ધાળુ, અન્યાયી અને ધર્મ ભાવનાથી વિમુખ હોય તેવાઓને પણ શ્રીસંધ બદલાવી શકે છે. જ્યારે આ નગરીમાં શ્રીસંઘપતિ દરેક રીતે પવિત્ર અને ઉત્તમ છે. હું ન ભૂલતો હોઉ તે આ નગરી જ્યારથી વસી હતી, ત્યારથી આ મહાન વંશને શ્રીસંઘપતિની જવાબદારી સંપવામાં આવી હતી. તે સિવાય આપણા નગરમાં મુખ્યત્વે વીસા પોરવાડ વિસા શ્રીમાળી વીસા અને ઓસાવાળ ત્રણ જ્ઞાતિ સંસ્થાઓ છે. નાતના શેઠ તરીકે જેઓ બિરાજે છે તેઓ પણ ખાનદાની અને વંશની ઉજજવલતામાં અપૂર્વ છે. તે ત્રણેય શેઠીયાઓ શ્રી સંઘપતિને સહાયક બનીને શ્રદ્ધાપૂર્વક કાર્ય કરતા જ હોય છે. તેઓને નથી માન કે કીતિ, ધન કે લાગવગને કઈ મોહ જે ઉત્તમ છે તેને આપ સહુ સંભાળી રાખ... એમાં આપણે કંઈ પણ નવું કે ખંડન કરીશું તે ભવિષ્યમાં આપણું શ્રીસંઘ સંસ્થા તૂટી પડશે અને ગુણરૂપી સામગ્રીની ઉપેક્ષા થશે.” સહુએ હર્ષનાદથી દેદા શાહને વધાવી લીધા. શ્રીસંઘપતિએ તો ઊભા થઈને દેદા શાહને ભેટી પડતાં કહ્યું: દેદ શાહ, ખરેખર તમે શાસનના હિતચિંતક છે. તમારી કહેલી વાત મને બરાબર લાગે છે.” દેદા શાહે શ્રીસંઘપતિના ચરણને પશ કરી મસ્તક નમાયું. આમ દેદા શાહની દિલાવરી, સાદાઈ અને વિનમ્રતાની વાતો સમગ્ર વિદ્યાપુર નગરીમાં સૌમ્યગંધાની સૌરભ માફક પ્રસરી ગઈ. આ સોરભ છેક રાજાના સન્મુખ પહોંચી. મહામંત્રીએ કહ્યું : મહારાજ, આપણું નગરીમાં એક નાનો પરિવાર આવ્યો છે. શેઠનું નામ છે દેદાશાહ અને શેઠાણીનું નામ છે વિમલશ્રી. બંને સુખી, સમૃદ્ધ અને પરમ ધાર્મિક છે. દેદા શાહ અને તેમનાં પત્ની હજારો સોનૈયા શુભ કાર્યમાં ખરચે છે પરંતુ પોતે સાવ સાદાઈથી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy