________________
‘હકૂમત આખા વિશ્વ પર, મારા રાજમાં આ કીટ, પતંગ કે વૃક્ષ નહિ, પૃથ્વીની ધૂળ ને વેલીનું ફૂલ જ નહિ, આંખે દેખાતા ને ન દેખાતા સર્વ જીવોનું રક્ષણ ને સંરક્ષણ છે !'
ને
‘તમારું શાસનસૂત્ર !'
‘શાસનસૂત્ર એક જ ! પારકાના માટે તજવાનું, પારકાના હિતમાં વર્તવાનું, પહેલું પારકાનું સુખ જોવાનું, એમાં જ પોતાનું સુખ જોવાનું ! મારા ધર્મનગરના વાસીનો પહેલો એ નાગરિક ધર્મ !'
‘નિયમન એનાં !'
‘નિયમન એ, કે સંસાર જેને વળગી રહેવામાં માનતો હોય, એને એણે છૂટાં મૂકવાં ! અમારા નગરના વાસી સંસારની સંપત્તિને સ્પર્શ નહિ કરે. સંસારમાં મારાનો ઝઘડો છે. ‘મારા'નો ત્યાગ એ કરશે. સંસારને મહેલમાળિયાં ખપે છે, અમે અરણ્યને જગાડીશું. સંસારમાં ખાવાના ઝઘડા છે. અમે ભૂખના વૈભવ બતાવીશું. સંસારમાં ભોગના રોગ છે. અમે ત્યાગનાં તેજ વહાવીશું ! સંસાર દુ:ખથી ભાગે છે. અમે સામે પગે દુઃખને વધાવીશું.'
‘આનાથી હાંસલ શું કરશો ?’ મોટા ભાઈને પણ આ અજબ સ્વપ્નદ્રષ્ટાના સ્વપ્નમાં રસ પડ્યો હતો.
‘આત્મા અને દેહની ભિન્નતા ! આત્મા સાધ્ય છે, દેહ સાધન છે, એના વિવેક. અમારે દુનિયાને બતાવવું છે કે તમે જેને પોતાનો માનો છો, એ તમારો નથી; જે તમારો છે, એને તમે પિછાણ્યો નથી !'
‘તમારા રાજ્યમાં ઈશ્વર હશે ?'
‘આત્મા સો પરમાત્મા !'
‘તમારા રાજ્યનો માનદંડ શો હશે ?’
‘સહુ સમાન. સહુ પ્રેમી. સહુ આત્મવાન્, ન કોઈ ઊંચ ને કોઈ નીચ. કર્મથી નીચ, ઉચ્ચ થઈ શકે,* ઉચ્ચ એથી ઊંચે જઈ શકે ! જીવમાત્રને વિકાસની
* कम्णा बंभणी होई, कम्मुणा होई खत्तिओ ।
बड़सो कम्मुणा होई, सुद्दो हवड़ कम्मुणा ।।
કરણી તેવી ભરણી. અર્થાત્ કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર થવાય છે. – ઉત્તરાધ્યયન
૪૮
ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org