________________
થાય !
એ સદા આનંદમાં રહે છે, પારકાના ભલામાં ચિત્ત રાખે છે, સારી વાતો સાંભળે છે, સારી કથાઓ સૂર્ણ છે !
ન અતિ ખાય છે, ન ઉપવાસ કરે છે. પોતાની ભૂખની ચિંતા નથી, પણ પેટના બાળકને પોષણ ન મળે તો ?
આખું રાજકુટુંબ રાણીજીને જાળવે છે. રાજાજી પણ ફૂલની જેમ એમનું જતન કરે છે. રાજા-રાણી સાથે સભામાં જાય છે, સાથે વનવિહારે જાય છે.
રાજા ને રાણી સિંહાસને બેઠાં છે, ને ખેડૂત મંડળ આવે છે.
ખેડુ કહે છે : “મહારાજ ! કારણ કંઈ જણાતું નથી ને ખેતરમાં આ વખતે ધાન્ય સારું પાડ્યું છે ! કંઈ કારણ વગર જમીનમાં રસકસ વધ્યા છે.”
રાજા કહે છે : “ખુશી થવા જેવું છે. પ્રજારૂપી કૂવામાં હશે તો રાજરૂપી અવાડામાં આવશે.”
ગોકુળના માલિકો આવીને કહે છે : “મહારાજ ! કંઈ નવતર કારણ ઊભું થયું નથી, ને ગાયોનાં દૂધ વધ્યાં છે. ચાણમાં ઘાસ વધ્યાં છે. નવાણે નીર વધ્યાં છે.'
વનપાળકો આવીને કહે છે : “આંબા તો એના એ જ છે, પણ આ વરસે આંબે મોરનો સુમાર નથી. લીમડે કોરનો સુમાર નથી. વેલીઓ ફૂલથી ને વૃક્ષો ફળથી લૅબીઝૂંબી રહ્યાં છે.”
નાગરિકો કહે છે : “આ વર્ષે ન જાણે કેમ, પણ સુખાકારી સારી છે. મૃત્યુ ઓછાં છે. અકાલ મૃત્યુ તો થતાં જ નથી ! સહુ મંડળો, નિગમો ને શ્રેણીઓનાં મનમાં ઉત્સાહ છે ! અમને તો કોઈ અવનવા શુભ બનાવની આ આગાહી લાગે છે.”
રાજા કહે : “બધું જ વધતું છે. જોષીઓએ કહ્યું તે પ્રમાણે કોઈ મહાન આત્માના આવવાની આ બધી આગાહીઓ છે. આપણે એનું નામ વર્ધમાન રાખીશું.'
રાણી મોં મલકાવીને કહે છે : “હા, હા, નામ તો વર્ધમાન જ રાખીશું. મારો હર્ષ પણ દિન દિન વધતો રહે છે”
૧૮ બગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org