________________
ધોળો હાથી ને સફેદ બળદ, વનનો રાજા કેસરી સિંહ, રૂપાળાં લક્ષ્મી દેવી ને ફુલ્લ-પ્રફુલ્લ પુષ્પમાળા, ઝગમગતાં ચંદ્ર ને સૂરજની જોડ, ફરફરતી ધજા ને રૂપાનો મંગળકળશ, સરોવરમાં શ્રેષ્ઠ એવું પuસરોવર, સાગરમાં સર્વોત્તમ એવો ક્ષીરસાગર, આકાશે શોભતું દેવવિમાન, રત્નનો રાશિ ને અગ્નિની જ્યોતિ – એમ ચૌદ સ્વપ્ન રાણી નીરખે છે!
તેર સ્વપ્ન તો નીરખ્યાં, પણ કેસરી સિંહે તો જાણે મુખવાટે એમના ઉદરમાં પ્રવેશ કર્યો.
આવાં સપનાં નીરખી રાણી જાગ્યાં. જાગીને રાજાને જગાડ્યા. સપનાની વાત કરી.
રાય સિદ્ધાર્થ કહે : “રાણી ! તમે રત્નગર્ભા છો. નક્કી તમારે પેટ કોઈ મહાન આત્મા અવતાર ધરશે, આપણી ઈકોતેર પેઢી તારશે. બોલાવો જોષીઓને ! સપનાનો અર્થ વિગતે જાણીએ.”
જોષીઓને તેડાવ્યા. એ વખતના રાજા વિદ્યાવંતોને ભારે આદરમાન આપતા. જ્યોતિષીમંડળ માટે ખાસ ભૂમિ પસંદ કરી. છાણથી લીંપાવી. સુગંધી જળથી સીંચી. ખડીથી ધોળી. માંડલા (રંગોળી) પૂર્યા. ધૂપઘટા પ્રસરાવી.
આઠ ભદ્રાસન મુકાવ્યાં. નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગ. એ આઠ અંગના જાણકાર માટે આઠ ભદ્રાસન. વળી બે સિંહાસન મુકાવ્યાં. એક રાય સિદ્ધાર્થ માટે, બીજું રાણી ત્રિશલા માટે. આઠ પડદા બાંધ્યા. એના પર હાથી, ચમરી, ગાય, સિંહ, વાઘ ને અષ્ટાપદનાં ચિત્રો ચીતર્યા.
જોષીઓ આવ્યા.
મોટા મોટા જોષીઓએ મોટાં મોટાં ટીપણાં કાઢ્યાં ! આકાશના ગ્રહ, નક્ષત્ર અને તારાઓને ઘડી વારમાં પોતાની પાટીમાં ઉતાર્યા. પાટીનું આકાશ
૧૪ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org