________________
બાળકો નાઠાં, પૂંછડી દબાવીને બીકણ સસલું નાસે તેમ. કાળો કળેળાટ
મચી ગયો.
નાસતાં બાળકો દયા ખાવા લાગ્યાં.
અરેરે ! બિચારા વર્ધમાનનો કાળ આવ્યો !
કાળ તે કેવો ?
એના નખ જોયા હોય તો પાવડા જેવા. એની રોમરાજ જોઈ હોય તો રીંછ જેવી.
પગ જાણે થાંભલા જેવા. હાથીપગો. ખભો જોયો હોય તો ગેંડાની ઢાલ જેવો !
ખૂની વરુની જેમ એ પિશાચ ફરીને ઘૂરક્યો. અરે, કોક હિમ્મતવાળાં રહ્યાંસહ્યાં બાળકો ઊભાં હતાં તે પણ જાય નાઠાં. પાછું વળીને જુએ એ બીજાં. ભાગતાં જાય ને બોલતાં જાય : “હાય રે ! આ તો પિશાચ નીકળ્યો. ઘોર કર્મનો કરનારો. જીવતા માણસને ભૂંજીને ખાનારો. દુનિયામાં જે ખરાબ એ એનો ખોરાક. દુનિયામાં જે દુરાચરણ એ એનું આચરણ !”
અઘોરીએ વર્ધમાનને ખભા પર લીધો છે. બે હાથે એના બંને પગ પકડ્યા છે, ને પડ્યો છે એના પંથે ! દિશાઓ ખાલી છે. રસ્તા નિર્જન છે. કોઈ કહેતાં કોઈ નજરે ચડતું નથી !
અરર ! બાળકનું આવી બન્યું ! અઘોરી એને લઈ જશે. દેવદેવીને ધરશે ! જીવતો શેકી ખાશે. એને મિજબાની થશે, ને આપણા વહાલા વર્ધમાનનું મોત આવશે !
ખરાખરીની આ ઘડીએ પણ કુમાર વર્ધમાનનું મોં તો જુઓ, કેવો નફકરો બેઠો છે ! જાણે પાળેલા હાથીની કાંધ પર બેઠો ન હોય ? નથી એની આંખોમાં બીક. નથી શરીરમાં કંપારી ! નરવાહનની સવારી કરી, જાણે કોઈ દેવકુમાર પૃથ્વી ઉપર આવ્યો હોય, એવો એનો રુઆબ છે !
ખરો બહાદુર, ખરો ભાયડો આ તો !
વાઘ શિકારને લઈને બોડ તરફ જાય, એમ અઘોરી વર્ધમાનને ઉપાડી આગળ ચાલ્યો જાય છે. ઝરૂખે ચઢી દુનિયાને દેખતો હોય, એમ કુમા૨ થોડી
૬ ૭ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org