________________
કોઈને કડવું વચન ન કહ્યું. મને, મારાં માતાને, સહુને પ્રેમભરી શિખામણ આપી વિદાય લીધી.
એ દિવસે આત્મા માટે નાસ્તિક હું આસ્તિક બની ગયો, પ્રભુ પાર્શ્વનો પૂજારી બની ગયો. ચાર ધામમાં શ્રદ્ધા ધરાવતો થયો.
પોતાની વાત પૂરી કરતાં રાજા પવેસીએ કહ્યું : “ભલે આજ આપ મને કંઈક વિશેષ દર્શન ન કરાવો, પણ જ્યારે આપની સાધના પૂરી થાય ત્યારે અમને ભૂલશો નહિ.”
મહાવીર તો મૌન ભાવે જ આગળ વધ્યા. પણ રાજા પવેસીએ પ્રભુના એ મૌનમાં સંમતિનાં દર્શન કર્યા.
૧૦૨ જ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org